March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં રહેતી બે સખી મિત્ર નીલુ મેહરોત્રા અને ગંગા ખાનચંદાનીએ એક વર્ષ પહેલા યોગા ક્‍લાસ શરૂ કર્યો હતો, જેનું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સાથે ભેગા મળી ઉજવણી કરી હતી. આ યોગ વર્ગમાં દરેક ઉંમરની મહિલાઓ લાભ લઈ રહી છે.
‘યોગ કરો સ્‍વસ્‍થ રહો’ આ કહેવત યોગનું મહત્‍વ સૂચવે છે, જે જીવન મામાનસિક, શારીરિક અને આધ્‍યાત્‍મિક તંદુરસ્‍તી માટે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગ દ્વારા શરીરને સ્‍વસ્‍થ અને મનને શાંત રાખી શકીએ છીએ. યોગની શારીરિક રીતે સકારાત્‍મક અસર થાય છે. યોગાસન કરવાથી આપણીશારીરિક શક્‍તિ વધે છે, માનસિક તણાવ ઓછો થાય છે અને રોગોનો સામનો કરવાની આપણી ક્ષમતા વધે છે. યોગાસન કરવાથી શ્વાસ યોગ્‍ય બને છે, જેના કારણે શરીરને યોગ્‍ય ઓક્‍સિજન મળે છે અને તેના કાર્યો સુધરે છે.
યોગ આધ્‍યાત્‍મિક દ્રષ્ટિકોણથી પણ મહત્‍વપૂર્ણ છે. યોગાભ્‍યાસ કરીને આપણે આપણાં મનને શાંતિ અને સ્‍થિરતા પ્રદાન કરીએ છીએ, જેનાથી તણાવ અને માનસિક ચિંતાઓ ઓછી થાય છે. યોગ દ્વારા આપણે આપણા આત્‍મા સાથે એકતા સ્‍થાપિત કરી શકીએ છીએ, જે આપણને જીવનના દરેક પાસાઓમાં સ્‍થિર રહેવામાં મદદ કરે છે. તેથી યોગ કરો, સ્‍વસ્‍થ રહો. આપણને યોગનું મહત્‍વ સમજાવે છે, જેથી આપણે સ્‍વસ્‍થ, સુખી અને સંપૂર્ણ જીવન જીવી શકીએ.

Related posts

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

vartmanpravah

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah

દીવના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલું આયોજન : દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે લગ્ન સમારંભમાં ઉપસ્‍થિત રહેલી નવદંપતિઓને આપેલા આશીર્વાદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

થ્રીડી ‘રાષ્‍ટ્રીય પોષણ મિશન’ના પ્રભારી સંધ્‍યા રાયના નેતૃત્‍વમાં અને પ્રદેશ પ્રભારી વિજ્‍યા રહાટકરની ઉપસ્‍થિતિમાં નાની દમણ સોમનાથ ડીઆઈએ હોલમાં કુપોષણમાંથી બહાર આવેલા બાળકોનો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

આવતીકાલે મુખ્‍યમંત્રીનો વાપી પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકુફ

vartmanpravah

Leave a Comment