June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં રહેતી બે સખી મિત્ર નીલુ મેહરોત્રા અને ગંગા ખાનચંદાનીએ એક વર્ષ પહેલા યોગા ક્‍લાસ શરૂ કર્યો હતો, જેનું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સાથે ભેગા મળી ઉજવણી કરી હતી. આ યોગ વર્ગમાં દરેક ઉંમરની મહિલાઓ લાભ લઈ રહી છે.
‘યોગ કરો સ્‍વસ્‍થ રહો’ આ કહેવત યોગનું મહત્‍વ સૂચવે છે, જે જીવન મામાનસિક, શારીરિક અને આધ્‍યાત્‍મિક તંદુરસ્‍તી માટે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગ દ્વારા શરીરને સ્‍વસ્‍થ અને મનને શાંત રાખી શકીએ છીએ. યોગની શારીરિક રીતે સકારાત્‍મક અસર થાય છે. યોગાસન કરવાથી આપણીશારીરિક શક્‍તિ વધે છે, માનસિક તણાવ ઓછો થાય છે અને રોગોનો સામનો કરવાની આપણી ક્ષમતા વધે છે. યોગાસન કરવાથી શ્વાસ યોગ્‍ય બને છે, જેના કારણે શરીરને યોગ્‍ય ઓક્‍સિજન મળે છે અને તેના કાર્યો સુધરે છે.
યોગ આધ્‍યાત્‍મિક દ્રષ્ટિકોણથી પણ મહત્‍વપૂર્ણ છે. યોગાભ્‍યાસ કરીને આપણે આપણાં મનને શાંતિ અને સ્‍થિરતા પ્રદાન કરીએ છીએ, જેનાથી તણાવ અને માનસિક ચિંતાઓ ઓછી થાય છે. યોગ દ્વારા આપણે આપણા આત્‍મા સાથે એકતા સ્‍થાપિત કરી શકીએ છીએ, જે આપણને જીવનના દરેક પાસાઓમાં સ્‍થિર રહેવામાં મદદ કરે છે. તેથી યોગ કરો, સ્‍વસ્‍થ રહો. આપણને યોગનું મહત્‍વ સમજાવે છે, જેથી આપણે સ્‍વસ્‍થ, સુખી અને સંપૂર્ણ જીવન જીવી શકીએ.

Related posts

ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહનો સમાપન કાર્યક્રમ

vartmanpravah

ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો

vartmanpravah

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો ઔર એક નવતર પ્રયાસઃ પટલારા ખાતે ટેલરિંગ ક્‍લાસનો આરંભ

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

Leave a Comment