December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં રહેતી બે સખી મિત્ર નીલુ મેહરોત્રા અને ગંગા ખાનચંદાનીએ એક વર્ષ પહેલા યોગા ક્‍લાસ શરૂ કર્યો હતો, જેનું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સાથે ભેગા મળી ઉજવણી કરી હતી. આ યોગ વર્ગમાં દરેક ઉંમરની મહિલાઓ લાભ લઈ રહી છે.
‘યોગ કરો સ્‍વસ્‍થ રહો’ આ કહેવત યોગનું મહત્‍વ સૂચવે છે, જે જીવન મામાનસિક, શારીરિક અને આધ્‍યાત્‍મિક તંદુરસ્‍તી માટે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગ દ્વારા શરીરને સ્‍વસ્‍થ અને મનને શાંત રાખી શકીએ છીએ. યોગની શારીરિક રીતે સકારાત્‍મક અસર થાય છે. યોગાસન કરવાથી આપણીશારીરિક શક્‍તિ વધે છે, માનસિક તણાવ ઓછો થાય છે અને રોગોનો સામનો કરવાની આપણી ક્ષમતા વધે છે. યોગાસન કરવાથી શ્વાસ યોગ્‍ય બને છે, જેના કારણે શરીરને યોગ્‍ય ઓક્‍સિજન મળે છે અને તેના કાર્યો સુધરે છે.
યોગ આધ્‍યાત્‍મિક દ્રષ્ટિકોણથી પણ મહત્‍વપૂર્ણ છે. યોગાભ્‍યાસ કરીને આપણે આપણાં મનને શાંતિ અને સ્‍થિરતા પ્રદાન કરીએ છીએ, જેનાથી તણાવ અને માનસિક ચિંતાઓ ઓછી થાય છે. યોગ દ્વારા આપણે આપણા આત્‍મા સાથે એકતા સ્‍થાપિત કરી શકીએ છીએ, જે આપણને જીવનના દરેક પાસાઓમાં સ્‍થિર રહેવામાં મદદ કરે છે. તેથી યોગ કરો, સ્‍વસ્‍થ રહો. આપણને યોગનું મહત્‍વ સમજાવે છે, જેથી આપણે સ્‍વસ્‍થ, સુખી અને સંપૂર્ણ જીવન જીવી શકીએ.

Related posts

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

vartmanpravah

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

સરકાર દ્વારા સ્‍કૂલવર્ધીવાળા વાહનોને ફરજીયાત ટેક્‍સી પાસિંગના આદેશ વચ્‍ચે ચીખલી તાલુકાની બે સરકારી પ્રાથમિક શાળાઓમાં જ ટ્રાન્‍સપોર્ટેશનની સુવિધા શરૂ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પડી રહેલી હાલાકી

vartmanpravah

આજે હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર તરીકે ત્‍ખ્‍લ્‍ અધિકારી અસકર અલીને આપેલો વધારાનો અખત્‍યાર

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment