Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

કોરોના સંક્રમણ રોકવા સરકારના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂદ્ધ કલેક્‍ટરને આવેદન પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
તાજેતરમાં વલસાડ સહિત ગુજરાતભરમાં કોરોનાએ ફરી માથુ ઊંચક્‍યું છે. ત્‍યારે રાજ્‍ય સરકારે નવી નવી ગાઈડ લાઈનો જારી કરી છે તે સંદર્ભમાં આ ઉત્તરાયણ તહેવારમાં અગાશીમાં ડી.જે. કે લાઉડ સ્‍પીકર વગાડી શકાશે નહીં તેવા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો લોકો દ્વારા થઈ રહેલા વિરોધને ધ્‍યાને લઈ આજે વિવિધ હિંદુ સંગઠનો દ્વારા વલસાડ કલેક્‍ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી જાહેરનામુ મોકુફ રાખવાની માંગણી કરી હતી.
ગુજરાતભરમાં કુદકે ને ભૂસકે વધી રહેલા કોરોનાના કેસોને લઈ સરકાર કોઈપણ ક્ષેત્રે સમાધાન કરવાના મુડમાં નથી. નવી આદર્શ આચાર સંહિતાઓ અમલ કરવામાં આવી રહી છે તે અનુસંધાનમાં સરકારે ઉત્તરાયણ પર્વમાંઅગાશી કે ધાબાઓ ઉપર લાઉડસ્‍પીકર અને ડી.જે. ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે અને પોલીસને તેનો અમલ કરવા જણાવેલ છે. જેના લોકોમાં પ્રત્‍યાઘાત વિપરીત પડયા છે. લોકો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે તેથી વિવિધ હિંદુ સંગઠનોએ આજે વલસાડ કલેક્‍ટરમાં આવેદનપત્ર પાઠવી નવા જાહેરનામાનો વિરોધ કર્યો હતો.

Related posts

દમણ-દીવ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 36 કેસોનું સમાધાન : રૂા.1.49 કરોડનું સેટલમેન્‍ટ

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા. 200 લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ ‘હાટ બજાર’નું કરેલું લોકાર્પણ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ સાથે ફરી એકવાર દમણ જિલ્લાને જોડાવા મળેલી તક

vartmanpravah

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

vartmanpravah

Leave a Comment