Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિધ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ વાપીમાં તારીખ- ૧૨/૦૧/૨૦૨૪ શુક્રવારના રોજ “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિકસિત યુવા વિકસિત ભારતની થીમ ના ઉપર વકતૃત્વ સ્પર્ધા “The Role of Young Entrepreneur in shaping Modern India” ના વિષય પર યોજાઈ હતી. આ સ્પર્ધા કેમ્પસ એકેડેમીક ડીરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન અને આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમાન સંજય સરવૈયા ના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ૧૨ જાન્યુઆરીને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસ ખાસ છે કારણ કે આ દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે, તેમના અમૂલ્ય વિચારોને યાદ કરવા અને તેમની પાસેથી પ્રેરણા લેવા માટે દર વર્ષે ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં યુવાનોનું બહુ મોટું યોગદાન છે. કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે યુવા એ આપણા દેશની તાકાત છે, જો દેશના યુવાનો વિવેકાનંદજીના વિચારોને અનુસરે અને તેમના વિચારોમાંથી પ્રેરણા લે તો આપણો દેશ શક્તિશાળી બનશે.
જેમાં સ્પર્ધામાં પ્રથમ સ્થાને બી ફાર્મના સેમેસ્ટર ૮ માંથી અનુષ્કા જાધવ, દ્રિતીય સ્થાને જિનલ વણજારા તેમજ તૃતીય સ્થાને ઋત્વિક ડોબરિયા અને સેમેસ્ટર ૬ માંથી રિષા પાંડે વિજેતા રહ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર કુમારી તેજલ દિસાગર અને આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમાન અભિષેક જોશી રહ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

સેલવાસ ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ બનતા અતુલ શાહઃ મહામંત્રીની જવાદબારી કે.ટી. પરમારના શિરે

vartmanpravah

પ્રદેશ ભાજપ સચિવ અને જિ.પં. સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે દાભેલ અને ભીમપોરની સ્‍વયં સહાયતા જૂથની બહેનો માટે મહેંદી સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

ધોધમાર વરસાદથી નવસારી જિલ્લા પંચાયત વિભાગના 64 રસ્‍તાઓ બંધ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં દિવાળી પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલીના તાલુકાના થાલા ગામે ગુજરાત ગેસ દ્વારા જરૂરીયાત મુજબની મંજૂરી લઈ ચીખલીમાં સીએફ શાહ સીએનજી પંપને ઓનલાઈન ગેસ આપવા કામગીરી ચાલુ

vartmanpravah

Leave a Comment