Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના બે સામાજીક કાર્યકર્તાઓનું હૃદય રોગના હૂમલામાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.19: સેલવાસના વરિષ્ઠ નાગરિક અને સમસ્‍ત ધોડિયા સમાજ પરિવાર દક્ષિણ ગુજરાતનાસામાજીક કાર્યકર અને જગન્નાથ મંદિરના ટ્રસ્‍ટી અશોકભાઈ પટેલ જેઓ એમના ઘરે જલારામ મંદિરમાં બે દિવસ પહેલા આરતી ઉતારી રહ્યા હતા તે સમયે અચાનક ચક્કર આવી જતા ઢળી પડયા હતા. જેઓને તાત્‍કાલિક સારવાર અર્થે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યાં ફરજ ઉપરના તબીબે તેમને હૃદયરોગના હૂમલો થયો હોવાનું જણાવ્‍યું હતું. જેથી અશોકભાઈને વધુ સારવાર માટે વાપીની રેમ્‍બો હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં એમનું ઓપરેશન પણ કરવામાં આવ્‍યું હતું છતાં ફરી હૃદય ઉપર હૂમલો થતાં સારવાર દરમ્‍યાન એમનું મોત થયું હતું. અશોકભાઈ પટેલના મોતથી સેલવાસ શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. એમની અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો, ટ્રસ્‍ટીગણો અને શહેરીજનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

અન્‍ય બીજા કિસ્‍સામાં કન્નડ સમાજના અગ્રણી અને લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલના ટ્રસ્‍ટી એ. નારાયણન હાલ રહેવાસી સેલવાસ, અને મૂળ રહેવાસી કેરળ જેઓ એમના માદરે વતન ગયા હતા ત્‍યાંથી તેઓ પરિવાર સાથે સબરીમાલા મંદિરમાં દર્શન માટે ગયા હતા ત્‍યાં જ તેઓ દર્શન કરતી વખતે ઢળી પડયા હતા. જેઓનું પણ હૃદય રોગના હૂમલાના કારણે મોત થયું હતું. દાનહ સહિત સંઘપ્રદેશમાં કન્નડ સમાજના લોકોમાં શોકની લાગણી જોવા મળીછે.

Related posts

વલસાડ સરોધી હાઈવે ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો ડિવાઈડર ઉપર ચઢી જતા પલટી મારી ગયો

vartmanpravah

વાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્‍યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતી

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસમાં એટીએમમાં કાર્ડ ફસાઈ ગયા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસ ફરિયાદ

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વિદ્યાર્થી સંઘના નેતા વિશાલ પટેલ અને વિશ્વા પટેલ દ્વારા નાની દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડમાં સ્‍ટુડન્‍ટ પ્રીમિયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

vartmanpravah

Leave a Comment