April 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

નરોલીની આંબાવાડીમાંથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલવા દાનહ પોલીસને મળેલી સફળતા

  • મહિલાની પુત્રીના પરિણીત પ્રેમી જય વારલીએ ગળુ દબાવી હત્‍યા કરી આંબાવાડીમાં ફેંકી થયો હતો ફરાર

  • દાનહ પોલીસે હત્‍યારા જય વારલીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મંજૂર કરેલા બે દિવસના પોલીસ રિમાન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીના નરોલી ગામે આંબાવાડીમાંથી સોમવારના રોજ એક મહિલાની લાશ મળી આવી હતી. જેમાં પોલીસ દ્વારા તપાસ કરતા પરિવારના સભ્‍યોની પૂછપરછ કર્યા બાદ મહિલાની પુત્રીના પરિણીત પ્રેમીએ જ મહિલાનું ગળું દબાવી હત્‍યા કરી હોવાનું બહાર આવ્‍યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નરોલી ગામના હવેલી ફળિયામાં રહેતી સંગીતા હરેશભાઈ વારલી (ઉ.વ.40) જેઓ સવારે ઘરેથી બહાર ગઈ હતી, ત્‍યારબાદ ઘણો લાંબો સમય વિતી જવા છતાં ઘરે નહીં આવતા પરિવારના સભ્‍યોએ શોધખોળ શરૂ કરી હતી. તે સમયે એમને જાણકારી મળી કે આંબાવાડીમાં એક મહિલાની લાશ મળી આવેલ છે, જ્‍યાં તાત્‍કાલિક પહોંચીને જોયું તો એ લાશ સંગીતાની જ હોવાનું જણાયું હતું. ઘટનાની ખબર પડતાં દાનહ પોલીસની ટીમ જ્‍યાં લાશ પડી હતી એ સ્‍થળેપહોંચી જઈ લાશનો કબ્‍જો લીધો હતો અને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપી હતી. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ બાદ મહિલાની હત્‍યા થઈ હોવાનું જણાયું હતું.
પોલીસે હત્‍યાનો ગુનો નોંધી મૃતક મહિલાના પરિવારજનોને સાથે રાખી ગુનેગારને ઝડપી પાડવા ત્‍વરિત તપાસ હાથ ધરી હતી. પરિવારની પૂછપરછ કર્યા બાદ નરોલી ગામને અડીને આવેલા ગુજરાતના ભીલાડ ગામે રહેતા શંકાસ્‍પદ ઈસમ જય ઈશ્વરભાઈ વારલીની સઘન પૂછપરછ કરી હતી. જેમાં જય વારલીએ પોતે જ સંગીતાની હત્‍યા કરી હોવાની કબૂલાત કરી હતી.
જય વારલી બે સંતાનનો પિતા હોવા છતાં પણ મૃતક મહિલાની પુત્રી સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાનો ઈરાદો ધરાવતો હતો. જેનો સંગીતાએ વિરોધ કરી લગ્ન કરાવવાનો ઇન્‍કાર કર્યો હતો. મળતી માહિતી મુજબ પ્રેમ સંબંધમાં બે થી ત્રણવાર સમાધાન કરાવાયું હતું. પરંતુ આ જ બાબતની અદાવત રાખી જય વારલીએ મોકો શોધી સંગીતાનું ગળુ દબાવી હત્‍યા કરી લાશને નરોલી ગામની એક વાડીમાં મુકી ફરાર થઈ ગયો હતો.
આરોપી જય વારલીની નરોલી પોલીસે ધરપકડ કરી સેલવાસની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રીમાન્‍ડ મંજૂર કર્યા હતા. સમગ્ર ઘટનાની વધુ તપાસ પી.એસ.આઈ. શ્રી શશિસિંગ કરી રહ્યા છે.

Related posts

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

vartmanpravah

રાષ્‍ટ્રીય શાળા રમત સ્‍પર્ધા-2023 દિલ્‍હી અને ગ્‍વાલિયર ખાતે યોજાયેલ અંડર-19 બેડમિન્‍ટન રમતમાં સંઘપ્રદેશના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

મહુવા જઈ રહેલ સ્‍વિફટ કારમાં કિકરલા ખાતે આગ લાગતાં બળીને ખાખ થઈ: કારમાં સવાર ચાર વ્‍યક્‍તિઓનો આબાદ બચાવ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

દાનહના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરાશે

vartmanpravah

આજે સેલવાસના સાયલી સ્‍ટેડિયમમાં યુવા જોશનો સાક્ષાત્‍કારઃ 35 હજાર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને મળશે સ્‍પોર્ટ્‍સ કિટ

vartmanpravah

Leave a Comment