Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

હાઈવે ઉપર બે ટ્રેક વચ્‍ચે જગ્‍યાનો અભાવ હોવાથી ઘણી વખત રોડ ક્રોસ કરતી વેળા ચાલકો અધવચ્‍ચે ફસાઈ જતા હોય છે, જેના કારણે નાના-મોટા અકસ્‍માતો સર્જાતા રહે છે.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.08: ચીખલી-બીલીમોરા માર્ગથી ઘેકટી, વંકાલ, ચીમલા, હોન્‍ડ, તેજલાવ, મલિયાધરા થઈને ચીખલી-અટગામ મુખ્‍ય જિલ્લા માર્ગને જોડતો આ વિસ્‍તારનો મુખ્‍ય માર્ગ હોન્‍ડ-ચીમલા પાસે નેશનલ હાઈવેને ક્રોસ થાય છે. જેમાં હોન્‍ડ-ચીમલા ફાટક પાસે કાવેરી નદી ઉપર નેશનલ હાઇવેના ત્રણ જેટલા પુલ છે. જે પૈકી એક વલસાડ-સુરત અને સુરત-વલસાડ હાઈવે પર છે. ત્‍યારે ચીમલા તરફથી જતા વાહન ચાલકોએ ચીખલ તરફ જવા માટે અને વલસાડ તરફથી આવી ચીમલા તરફ જવા માટે વાહન ચાલકોએ બન્ને ટ્રેક વાળા બે હાઇવે ક્રોસ કરવા પડે છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં સુરત-વલસાડ હાઈવેના બે રોડ વચ્‍ચે જગ્‍યા જ નથી. એક રોડ ક્રોસ કરી ગયા બાદ બીજો ક્રોસ કરતી વખતે બે રોડની વચ્‍ચે વાહન ઉભા રાખવાની પૂરતી જગ્‍યાના અભાવે વાહન ચાલક અધવચ્‍ચે ફસાઈ જતો હોય છે. સુરતથી વલસાડ તરફ જવાના માર્ગ ઉપરકાવેરી નદી પર બે બ્રિજ હોવાથી અને આ બંને માર્ગો ત્રી માર્ગીય હોવાથી સુરત તરફથી પુરપાટ ઝડપે વાહનો વલસાડ તરફ દોડતા હોય છે. અને ચીમલા ફાટક પાસે આ બંને માર્ગો વચ્‍ચે જગ્‍યા જ ન હોવાથી વાહન ચાલકો ઘણીવાર ભેરવાઈ પડતા હોય છે.
આ અંગે સ્‍થનિક સાંસદ સી.આર.પાટીલ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્‍થાનિકો દ્વારા અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્‍મક પરિણામ આજદિન સુધી આવ્‍યું નથી.ત્‍યારે હજુ કેટલા સમય સુધી ગ્રામજનોએ રાહ જોવી પડશે તે જોવું રહ્યું.

Related posts

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાંસદામાં મોતિયા બિંદ નિઃશુલ્‍ક ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

થર્ટીફસ્‍ટ ને લઈ પારડી પોલીસ એક્‍શન મોડમાં: કલસર – પાતળિયા ચેક પોસ્‍ટ પર હાથ ધર્યું સઘન ચેકિંગ

vartmanpravah

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

Leave a Comment