December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદની માત્ર 4 મહિનામાં જ દિલ્‍હી બદલીઃ પ્રદેશમાં વહેતા થયેલા અનેક તર્ક-વિતર્કો

પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કરાયેલો વધારાનો હવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર 2002 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી વિકાસ આનંદની દિલ્‍હી બદલીનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા કરાયો છે. શ્રી વિકાસ આનંદે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં પોતાનો અખત્‍યાર 4થી જુલાઈ, 2022ના રોજ સંભાળ્‍યો હતો. તેઓ 1995 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘના અનુગામી બન્‍યાહતા.
ગૃહ મંત્રાલય દ્વારા માત્ર 4 મહિનાના કાર્યકાળ દરમિયાન બદલી કરવાના આદેશથી પ્રદેશમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.
સંઘપ્રદેશ પ્રશાસને પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેનો વધારાનો હવાલો નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કર્યો છે. શ્રી રાજાવતને પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેના અપાયેલા વધારાના અખત્‍યારથી પ્રશાસનમાં વધુ ગતિ આવશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. 8મી માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે યોજાનારી વિશિષ્‍ટ મહિલા ગ્રામ સભા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડ ટ્રીપ’નું આયોજન થયું

vartmanpravah

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

vartmanpravah

Leave a Comment