October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદની માત્ર 4 મહિનામાં જ દિલ્‍હી બદલીઃ પ્રદેશમાં વહેતા થયેલા અનેક તર્ક-વિતર્કો

પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કરાયેલો વધારાનો હવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર 2002 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી વિકાસ આનંદની દિલ્‍હી બદલીનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા કરાયો છે. શ્રી વિકાસ આનંદે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં પોતાનો અખત્‍યાર 4થી જુલાઈ, 2022ના રોજ સંભાળ્‍યો હતો. તેઓ 1995 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘના અનુગામી બન્‍યાહતા.
ગૃહ મંત્રાલય દ્વારા માત્ર 4 મહિનાના કાર્યકાળ દરમિયાન બદલી કરવાના આદેશથી પ્રદેશમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.
સંઘપ્રદેશ પ્રશાસને પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેનો વધારાનો હવાલો નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કર્યો છે. શ્રી રાજાવતને પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેના અપાયેલા વધારાના અખત્‍યારથી પ્રશાસનમાં વધુ ગતિ આવશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

vartmanpravah

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

vartmanpravah

ધરમપુર જાગીરી પંચાયતમાં તલાટી દ્વારા 2021માં જન્‍મ-મરણ નોંધણી ઓનલાઈન ન કરાતા ગ્રામજનો મુશ્‍કેલીમાં

vartmanpravah

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment