Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદની માત્ર 4 મહિનામાં જ દિલ્‍હી બદલીઃ પ્રદેશમાં વહેતા થયેલા અનેક તર્ક-વિતર્કો

પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કરાયેલો વધારાનો હવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર 2002 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી વિકાસ આનંદની દિલ્‍હી બદલીનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા કરાયો છે. શ્રી વિકાસ આનંદે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં પોતાનો અખત્‍યાર 4થી જુલાઈ, 2022ના રોજ સંભાળ્‍યો હતો. તેઓ 1995 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘના અનુગામી બન્‍યાહતા.
ગૃહ મંત્રાલય દ્વારા માત્ર 4 મહિનાના કાર્યકાળ દરમિયાન બદલી કરવાના આદેશથી પ્રદેશમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.
સંઘપ્રદેશ પ્રશાસને પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેનો વધારાનો હવાલો નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કર્યો છે. શ્રી રાજાવતને પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેના અપાયેલા વધારાના અખત્‍યારથી પ્રશાસનમાં વધુ ગતિ આવશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

દમણ પાલિકા અને જિલ્લા પંચાયતે પ્રદેશના થયેલા ઐતિહાસિક સર્વાંગી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્‍તાવ પસાર કર્યો

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમુસ્‍લિમ સમાજનો ક્રિકેટ મહાકુંભ ડીએમપીએલ-ર પૂરજોશમાં : 6 માર્ચે ફાઈનલ મેચ રમાશે

vartmanpravah

વાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યો

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અને રૂક્ષ્મણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment