Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત રાજ્‍યનો મેગા પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ ઝોન-4, નોડલ -4 વલસાડ ખાતે 18 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજમાં વલસાડ જીલ્લાની આર્ટસ, કોમર્સ, સાયન્‍સ, એન્‍જીનરીંગ અને પોલીટેકનીક કોલેજો મળી કુલ 14 કોલેજોના આચાર્ય અને સંબધિત કોલેજોના 28 પ્‍લેસમેન્‍ટ અધ્‍યાપકોએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં કોર્મસ કોલેજના આચાર્ય અને નોડલ – 4 ના નોડલ ઓફિસર ડૉ.ગિરીશકુમાર રાણાએ જણાવ્‍યું કે દર વર્ષે ગુજરાત રાજ્‍ય સરકારનો માર્ચ મહિનાની 18 તારીખના રોજ મેગા કેમ્‍પ થાય છે. એ પ્રમાણે દરેક કોલેજોએ વિદ્યાર્થીઓનું રજીસ્‍ટ્રેશન તેમજ ઈન્‍ડસ્‍ટ્રીયલ રજીસ્‍ટ્રેશન કરાવવાનું કાર્ય તાત્‍કાલિક પૂરું કરવા બાબતે પૂર્ણતૈયારી કરવા માટે સૂચનાઓ આપી હતી. આ બાબતે મેગા કેમ્‍પ સફળ બનાવવા માટે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને પ્‍લેસમેન્‍ટ મળે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્‍લેસમેન્‍ટમાં જોડાય એ માટેના પ્રયત્‍ન કરવા માટે પ્રિ. ડૉ. ગિરીશકુમાર રાણાએ જણાવ્‍યું હતું. 14 કોલેજમાંથી 1740 વિદ્યાર્થીઓનું તેમજ 108 ઈન્‍ડસ્‍ટ્રીઝનું રજીસ્‍ટ્રેશન ગુજરાત રાજ્‍ય પ્‍લેસમેન્‍ટ પોર્ટલ માટે થયું હોવાનું જણાવ્‍યું હતું. આગામી તા.16 મી ફેબ્રુઆરીના રોજ કોમર્સ કોલેજ વલસાડના એક્‍ટિવિટી હોલમાં આ બાબતે દરેક કોલેજના 6 (છ) અધ્‍યાપકોને પ્‍લેસમેન્‍ટ પ્રક્રિયા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. આ બાબતે જિલ્લાના દરેક આચાર્યોને લેખિત સુચના આપવામાં આવી છે. આ બાબતે ઝોન-4ના કો ઓર્ડીનેટરશ્રી કોટક સાહેબ તેમજ સહ કો-ઓર્ડીનેટર પ્રા. કે.ડી.પાંચાલ તેમજ એન્‍જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રા. સંદીપભાઈ પટેલ માર્ગદર્શન કરી રહ્યા છે. આ કાર્યમાં કોમર્સ કોલેજ, વલસાડના કો-ઓર્ડીનેટર પ્રા.એમ.જી.પટેલ, અને ડૉ.પારસ શેઠ ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

વાપી બલીઠામાં ઉપ જિલ્લા હોસ્‍પિટલની કામગીરી પ્રગતિમાં : 113 બેડની ક્ષમતા સાથે તમામ આધુનિક સેવા મળશે

vartmanpravah

દમણ જિલ્લો બન્‍યો પાણીમગ્નઃ વરસાદની ચાલુ  રહેલી અણનમ ઈનિંગ

vartmanpravah

દીવ જિલ્લાના ધો.12ના ટોપર મેહુલ મજેઠીયાનું કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે સર્ટીફિકેટ આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

આજે દમણમાં રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્‍યોની પાવન પધરામણી અવસરે ભવ્‍ય સામૈયું યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્‍યક્‍તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા

vartmanpravah

Leave a Comment