April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના નરોલી ગામે શોકીન સિંહ (ઉ.વ.48) જે ડીપી એન્‍જીનીયરીંગ સોલ્‍યુશન અંતર્ગત ભીલોસા કંપનીમાં કોન્‍ટ્રાક્‍ટમાં નોકરી કરતો હતો જે ગત અઠવાડિયે કનાડી ફાટક નજીક નશાની હાલતમાં એક ઘરમાં ઘુસી મહિલા સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો. ત્‍યારબાદ મહિલાના પરિવારના સભ્‍યોએ શોકીન સિંહ અને એમના સહકર્મી સુખવિન્‍દર સિંહ પર લાકડા અને લાઠી વડે હુમલો કર્યો હતો. જેમા શોકીન સિંહને ઈજાઓ થઈ હતી. આ મારામારી બાદ એના મિત્રોએ મહિલાના પરિવાર સાથે સમાધાનનો પ્રયાસ કર્યો હતો અને એને પંજાબ એના ઘરે મોકલાવી આપવાની વાત કરી હતી. શોકીન સિંહના મિત્રએ એને રિક્ષામાં બેસાડી રાત્રે 8:00વાગ્‍યે વાપી સ્‍ટેશન પર છોડી આવ્‍યો હતો. જ્‍યાં એની લાશને વાપી સ્‍ટેશનના સુરક્ષા ગાર્ડે જોઈ અને વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. 27મેના રોજ વાપી ટાઉન પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી લાશને પીએમ માટે મોકલી આપી હતી. ત્‍યારબાદ 1 જૂનના રોજ સેલવાસ પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવ્‍યો હતો. મૃતકના સગા બલ્‍વીન્‍દર સિંહનીફરિયાદના આધારે આઇપીસી 302,323,147,148,149 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ શ્રી સોનુ સુદને સોંપવામાં આવી હતી. એસએચઓ શ્રી અનિલ ટીકે અને ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ શ્રી હરેશ રાઠોડના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં ભીખુ મ્‍હાજી સાલકર (ઉ.વ.45) રહેવાસી કુંભારવાડી,નવાકુવા,નરોલી, અશોક દિલીપ સાલકર (ઉ.વ.25) રહેવાસી કુંભારવાડી, નરોલી, પિયુષ છોટુ પટેલ (ઉ.વ.25) રહેવાસી કુંભારવાડી, નરોલી, સતિષભાઈ શુક્કરભાઈ તુમડા (ઉ.વ.34) રહેવાસી કુંભારવાડી, નરોલી, મિનેશ દશરથ પડવાડિયા (ઉ.વ.19) રહેવાસી કુવાફળિયા, નરોલી જેઓની ધરપકડ કરી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

‘નારી વંદન ઉત્સવ:’ પારડીમાં ‘નારી વંદન ઉત્સવ’ના પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટીને મળેલા એવોર્ડને પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખ

vartmanpravah

સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્‍થાપના

vartmanpravah

વાપીમાં મંગળવારે આગના બે બનાવ : જીઆઈડીસી ફોર્ટીશેડ સ્‍થિત કંપનીમાં બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગી વિરાજ કેમિકલમાં સાંજના અચાનક બ્‍લાસ્‍ટ થયા બાદ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment