Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

સાંસદની રજૂઆતમાં વજૂદઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખાતે નિષ્‍ફળ જઈ રહેલી ‘‘આયુષ્‍માન ભારત” કાર્ડ યોજના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે લોકસભામાં ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત યોજના” સંઘપ્રદેશમાં બંધ હોવાની રજૂઆત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા અનેક લોકોપયોગી કામો અને વિવિધ યોજનાઓનું અસરકારક કાર્યાન્‍વયન થયું છે, પરંતુ દાદરા નગર હવેલીઅને દમણ-દીવમાં ‘‘આયુષ્‍માન ભારત” યોજના ફક્‍ત પ્રદેશની એટલે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી હોસ્‍પિટલ પુરતી જ સીમિત રહી ગઈ હોવાનું પણ દેખાય છે. સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે ખુબ જ મોડે મોડે પોતાની રજૂઆત કરી છે, પરંતુ તેમની રજૂઆતમાં ઘણું વજૂદ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના ‘‘આયુષ્‍માન ભારત” યોજનાના કાર્ડ ધરાવતા લાભાર્થીઓની સારવાર વાપી સહિત દેશની અન્‍ય કોઈ હોસ્‍પિટલોમાં કરવામાં આવતી નથી. જો આવી હોસ્‍પિટલોમાં સારવાર કરાવવી હોય તો દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગના જવાબદાર અધિકારી દ્વારા રેફરન્‍સ લેટર લેવું જરૂરી બને છે. કોઈ અન્‍ય પ્રદેશમાં અકસ્‍માતનો ભોગ બને અને તેને તાત્‍કાલિક સારવારની જરૂરિયાત હોય તે સમયે પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવ બહારની હોસ્‍પિટલો ‘‘આયુષ્‍માન ભારત” કાર્ડ ધરાવતા લાભાર્થીઓની વગર પૈસે ટ્રીટમેન્‍ટ નહીં કરતા હોવાના અનેક દાખલાઓ નોંધાયા છે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો ‘‘આયુષ્‍માન ભારત” યોજનાથી છેતરાતા હોવાની લાગણી પેદા થઈ રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગરીબો પણ દેશની ફાઈવસ્‍ટાર હોસ્‍પિટલોમાં પોતાના રોગનો ઈલાજ કરાવી શકે એ માટે ‘‘આયુષ્‍માન ભારત” યોજના લાગૂ કરી હતી.પરંતુ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ‘‘આયુષ્‍માન ભારત” કાર્ડ ધરાવતા લાભાર્થીઓને વાપીની હરિયા હોસ્‍પિટલ કે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલ પણ દાદ આપતી નથી. તેથી આ બાબતે સંઘપ્રદેશ પ્રશાસન આ યોજનાને સક્રિયતાથી લાગૂ કરવા પોતાના પ્રયાસો કરે એવી વ્‍યાપક માંગણી ઉઠી છે.

Related posts

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા જરૂરીયાતમંદ વ્‍યક્‍તિને ટ્રાઈસીકલ અને વિદ્યાર્થીનીની શાળાની ફી ભરી કરેલી સહાય

vartmanpravah

દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન તથા ભાજપ કિસાન મોર્ચાના પ્રદેશ પ્રમુખ હરિશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્‍કૂલબેગ કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રા અને આઈ.પી.એસ. અનુજ કુમારની જમ્‍મુ કાશ્‍મીર બદલી

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

vartmanpravah

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ માટે ચૂંટણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment