February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.ટી. વિભાગીય કચેરી વલસાડ ખાતેથી માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે ઓનલાઈન સેમિનાર યોજાયો

વિભાગીય કચેરી હેઠળના તમામ ડેપો તથા વિભાગીય યંત્રલાયના 500થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: એસ.ટી. નિગમ વલસાડ વિભાગ દ્વારા તા.09 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે 11:30 વાગ્‍યે માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે વિભાગના વિભાગીય કચેરી ખાતેથી વિભાગના તમામ ડેપો જેમાં નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર, આહવા ડેપો તથા વિભાગીય યંત્રલાય સહિતના તમામ એકમોનું સંકલન કરી, ઓનલાઈન વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યુ હતું.
આ ઓનલાઈન વિડીયો કોન્‍ફરન્‍સમાં અંદાજિત 500 થી વધુ ડ્રાયવર, કંડક્‍ટર,મિકેનિક સહિત કર્મચારીઓ, અધિકારીઓ અને સુપરવાઈઝરો એ ભાગ લીધો હતો. જેમાં વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલ દ્વારા સુરક્ષા અને સલામતી સાથે સબંધિત બાબતો અંગે માર્ગદર્શન આપી સમજ આપવામાં આવી હતી. કર્મચારીઓના પ્રશ્નોને પણ વાચા આપી તેવા પ્રશ્નોનું પણ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
એસ.ટી. નિગમમાં ઓનલાઈન માધ્‍યમથી આ પ્રકારના સેમિનારના આયોજન બાબતે એસ.ટી. વલસાડ વિભાગ ખાતેથી સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી છે. સાંપ્રત સમયે ટેક્‍નોલોજીના વિકાસ સાથે તેના ઉપયોગ સાથે સમયના બચત અને મહત્તમ કામદારોને આવરી લઈ અસરકારક કામગીરીની દિશામાં નવીન શરૂઆત થવા પામી છે.

Related posts

ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ? : દાનહ અને દમણ-દીવમાં સાંસદો એટલે જ સરકાર જેવી સ્‍થિતિ હતી

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

ધરમપુરના બીલપુડીમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો વર્ચ્યુઅલ કાર્યક્રમ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah

જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્‍સવમાં રાનકુવા હાઈસ્‍કૂલ છવાઈ

vartmanpravah

Leave a Comment