Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એ.ઓ. ત્રિવેદીએ આદિવાસીઓની રજૂઆતને સાંભળવાની મનાઈ કરી જાતિ શબ્‍દોનો ઉપયોગ કરી આપમાનિત કરવાનીઘટેલી ઘટનાના અનુસૂચિત જાતિ અને જનજાતિની પ્રજામાં પડેલા ઘેરા પ્રત્‍યાઘાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18: સરીગામ જીઆઇડીસીને લાગુ કરજગામ રાયવાડીના વિસ્‍તારના બોરીગોના પાણી કલરયુક્‍ત પ્રદૂષિત થતાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્‍યા સર્જાયેલી છે. આ મુદ્દે આદિવાસી અગ્રણીઓ જવાબદાર વિભાગ ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડનું વારંવાર ધ્‍યાન દોરવા છતાં નિરાકરણ આવી શકયું નથી અને એથી વધુ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી શ્રી એ.ઓ. ત્રિવેદીએ અરજદારશ્રી મિતેશ પટેલ અને એમના સાથી અગ્રણીઓને મુલાકાત આપવાની કે રજૂઆત સાંભળવાની ના પાડી દીધી હતી અને ના પાડવા સાથે આદિવાસીઓ પ્રત્‍યે જાતિ શબ્‍દોનો ઉપયોગ કરી તિરસ્‍કારની લાગણી વ્‍યક્‍ત કરી ભારે અપમાનિત કર્યા હતા.
આ ઘટના બાદ શ્રી મિતેશભાઈ પટેલ સહિત આજુબાજુ વિસ્‍તારના પ્રદૂષણનો સામનો કરી રહેલા અરજદારોએ પ્રાદેશિક અધિકારીને રજૂઆત કરવાનું અને ધ્‍યાન દોરવાનું માંડી વાળ્‍યું હતું. જેથી જીપીસીપી અધિકારીની રહેમ રાહ હેઠળ પોલ્‍યુશન ઓકતા એકમોને મોકળુ મેદાન મળી ગયેલુ છે. બીજી તરફ વાસ્‍તવિકતાથી વિપરીત અધિકારીશ્રી એ.ઓ. ત્રિવેદીની ઉજળી છબી પુરવાર થાય અને આદિવાસીઓ ખોટા તેમજ ખોટી રીતે કંપનીઓનેટાર્ગેટ કરી પોતાનો સ્‍વાર્થ સાધતા હોય એવા પાયા વિહોણા અહેવાલ અખબારમાં પ્રકાશિત થયા હતા. બીજી તરફ અરજદાર શ્રી મિતેશભાઈ પટેલને દબાણવંશ કરવા માટે પ્રદૂષણ ઓકતા એકમોની રખેવાળી કરતા અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા ભય ઉપજાવે એવો ગર્ભીત ઈશારો કરતો વારંવાર ફોન પણ વારંવાર કરવામાં આવેલ છે. આ સમગ્ર ઘટના કરજગામ, સરીગામ તેમજ લાગુ વિસ્‍તાર માટે ખતરનાક સાબિત થવાની શકયતા નકારાતી નથી. આમ સમગ્ર ઘટના જોતા ન્‍યાય માટે આદિવાસી અગ્રણી એડવોકેટશ્રી મિતેશભાઈ પટેલે પ્રાદેશિક અધિકારીશ્રી એ.ઓ. ત્રિવેદી સામે અનુસૂચિત જનજાતિ કમિશનમાં અરજી દાખલ કરી ન્‍યાયની માંગણી કરી છે.

Related posts

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

દીવ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહને વધાવવા યોજાયેલી ઐતિહાસિક સભા- સંઘપ્રદેશના વિકાસનો પ્રકાશઃ 2024ના વિજય સંકલ્‍પનો જયઘોષ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત ટાઉનહોલ અને સચદેવ બાલ ઉદ્યાન ગાર્ડનમાં હાલમાં ડીમોલીશનનુ કાર્ય ચાલી રહ્યુ છે.પ્રશાસન દ્વારા ટાઉન હોલની જગ્‍યામાં પણ ગાર્ડનને ડેવલોપ કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના નાના બાળકો માટેના રમતના સાધનો, સિનિયર સીટીઝનો માટે બેઠકની વ્‍યવસ્‍થા સાથે પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તેવા પ્રોજેક્‍ટ બનાવવામાં આવશે.

vartmanpravah

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

Leave a Comment