Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

શાકભાજી લેવા ગયેલ કોટલાવ પ્રાથમિક શાળાના રીપેરીંગનું કામ કરતા વૃદ્ધને ઈજા થતાં સારવાર હેઠળ

રીક્ષા ચાલકે સારવારનો ખર્ચ આપવાનું કહી ફરી જતા પાંચ દિવસ બાદ નોંધાવી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: પારડીના કોટલાવ ખાતે આવેલ પ્રાથમિક શાળા બનાવવાનો કોન્‍ટ્રાક્‍ટ દાહોદખાતે રહેતા રમેશભાઈ વેરિયાભાઈ ભાંભરએ રાખ્‍યો હોય હાલમાં તેઓ અહી પ્રાથમિક શાળા કોટલાવ ખાતે જ રોકાઈને શાળાનું કામકાજ કરી રહ્યા છે.
તારીખ 10.2.2024 ના રોજ શાળા બનાવવાના કામકાજમાં મજુર તરીકે કામ કરતા અને કોન્‍ટ્રાકટરના કાકા કેશાભાઈ છનુંભાઈ ભાંભર કોટલાવથી શાકભાજી લેવા પારડી જઈ શાકભાજી લઈ પારડી ચાર રસ્‍તાથી નરેશભાઈ બાબુભાઈ કો.પટેલની પિયાગો રીક્ષા નંબર જીજે 15 વાયવાય 7417 માં બેસી પરત કોટલાવ આવી રહ્યો હતો. આ દરમ્‍યાન પિયાગો રીક્ષા ચાલક નરેશભાઈ બાબુભાઈ કો.પટેલનાઓએ પોતાની રીક્ષા પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી કોટલાવ પિયુ પાર્ક પાસે સ્‍ટેશન જતા રસ્‍તા પર પલટી મરાવતા અંદર બેઠેલા પેસેન્‍જર પૈકી કોટલાવ પ્રાથમિક શાળા બનાવવાના કામકાજમાં મજુર તરીકે કામ કરતા અને કોન્‍ટ્રાકટરના કાકા કેશાભાઈ છનું ભાઈ ભાંભર ઉ.વ.60 નાઓને માથાના ભાગે, મોઢાના ભાગે અને જમણા પગના ઘૂંટણમાં ઈજા થતાં વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.
પિયાગો રીક્ષા ચાલક નરેશભાઈ બાબુભાઈ કો.પટેલએ સારવારનો ખર્ચ આપી દેવાનું કબૂલ કરતા આજદિન સુધી કોઈ ફરિયાદ કરી ન હતી પરંતુ આજદિન સુધી કોઈ ખર્ચ ન આપતા આજરોજ પિયાગો રીક્ષા ચાલક નરેશભાઈ બાબુભાઈકો.પટેલ વિરૂધ્‍ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સેલવાસ પોલીસે લૂંટ અને મારામારીના કેસમાં પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

ભીલોસા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની અપાયેલ ભેટ: જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે મોક્ષ રથનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

ધરમપુરમાં મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન-અંગદાન-દેહદાનનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment