April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પરિણામ નહીં મળે તો ચૂંટણી બહિષ્‍કારની ચિમકી સાથે: વલસાડ કાંઠા વિસ્‍તારના 12 ગામના લોકો રેતી ખનન મામલે મેદાને ઉતર્યા : રેલી કાઢી

 કાંઠા વિસ્‍તારના ગામોમાં ગેરકાયદે રેતી ખનનથી દરિયાના પાણી ગામોમાં ઘૂસી રહ્યા હોવાથી લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
વલસાડ દરિયા કિનારે આવેલ બાર જેટલા ગામોમાં ગેરકાયદે રેતી ખનન કામગીરી બેરોકટોક ધમધમી રહી છે. જેથી દાંડી સહિત 12 જેટલા ગામોમાં દરિયાના પાણી વરસોથી ઘૂસી રહ્યા છે. તેની લડત લાંબા સમયથી ચલાવી રહ્યા છે. વહિવટી તંત્ર દ્વારા પ્રોટેકશન વોલ અને ખનન અટકાવવાના કોઈ પગલાં નહી ભરાતા આજે દાંડી સહિતના 12 જેટલા ગામોના રહીશો મેદાને પડયા હતા. વલસાડ કલેક્‍ટરને સુત્રોચ્‍ચાર બેનરો સાથે રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ દરિયા કિનારે નાના-મોટા 12 જેટલા ગામો ચોમાસામાં અને ભરતી સમયે ખાસ કરીને મોટા પ્રમાણમાં ચાલી રહેલ રેતી ખનનના કારણે ભયભીત હાલતમાં જીંદગી વિતાવી રહ્યા છે. લાંબા સમયથી રેતી ખનન બંધ કરાવા અનેજરૂરી પ્રોટેકશન વોલ માટેની માંગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે. વારંવાર આવેદનપત્ર પાઠવી કલેક્‍ટર સામે પસ્‍તાળ પણ પાડી છે. છતાં કોઈપણ પગલાં ભરાતા નહીં હોવાથી પોતાના ગામોનું અસ્‍તિત્‍વ ટકાવવા આજે મંગળવારે વિશાળ સંખ્‍યામાં દાંતી સહિતના 12 ગામોના લોકો સુત્રોચ્‍ચાર-બેનરો સાથે મેદાને ઉતર્યા હતા. અગાઉ પણ તા.16-6-22 ના રોજ રેલી દ્વારા રજૂઆત-આવેદનપત્ર પાઠવેલ પરંતુ કલેક્‍ટર હાથ ઊંચા કરી જણાવી રહ્યા છે કે આ મામલો રાજ્‍ય સરકારનો છે. તેથી લોકોમાં વ્‍યાપક રોષ જોવા મળી રહ્યો છે. 12 ગામોની આ સમસ્‍યાનો ઉકેલ નહીં આવે તો વિધાનસભા ચૂંટણી બહિષ્‍કારની પણ ચીમકી આગેવાનોએ ઉચ્‍ચારી હતી.

Related posts

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ

vartmanpravah

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડ પર મંથર ગતિએ કામ ચાલતા વાહનચાલકોને વેઠવા પડી રહેલી ભારે હાલાકી

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત દાદરા નગર હવેલીના બે વિદ્યાર્થીઓ નવી દિલ્‍હી ખાતે આયોજિત 78મા સ્‍વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને કાર્યક્ષમ નેતૃત્‍વના કારણે દાનહ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશનકોર્પોરેશને સતત બીજા વર્ષે પણ રૂા.105 કરોડનો રળેલો નફો

vartmanpravah

Leave a Comment