March 3, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

(વાપી બ્‍યુરો) વાપી, તા.6:
વલસાડ રેલવે સ્‍ટેશને ગુજરાત કવીન ટ્રેનમાં વડોદરામાં અભ્‍યાસ કરતી યુવતી ઉપર થયેલ ગેંગરેપના આઘાતમાં ટ્રેનમાં આપઘાત કરી જીવન ટૂંકાવનારી ચકચારી ઘટનામાં અંતે અનેક ધમપછાડા બાદ યુવતી જે સંસ્‍થા સાથે સંકળાયેલી હતી તે સંસ્‍થાના સંચાલકો વિરૂદ્ધ વડોદરા ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો.
વલસાડ રેલવે સ્‍ટેશને ગત ધનતેરસના દિવસે રાત્રે એક વાગ્‍યે ગુજરાત કવીનના ડબ્‍બામાં યુવતીએ દુપટ્ટા વડે આત્‍મહત્‍યા કરેલી એ જબરજસ્‍થ ચકચાર મચાવી હતી. મૃતક યુવતી નવસારીની હતી અને વડોદરામાં અભ્‍યાસ કરતી હતી. તેમજ ઓએસીસ સંસ્‍થા સાથે સંકળાયેલી હતી. છેલ્લા એક દોઢ મહિનાથી રેલવે પોલીસ, ક્રાઈમ બ્રાંચ આ રહસ્‍યમય ઘટનાની તપાસ કરી રહી છે. યુવતી પર વડોદરામાં ગેંગરેપ થયો હતો અને ગુજરાત કવીનમાં ઘરે આવવા નીકળી હતી. ઘટનાની વિગતો વોટસએપથી સંસ્‍થા ઓએસીસને જાણ કરેલી હતી. પરંતુ તેને ટાળવા કે અન્‍ય કારણોસર સંસ્‍થાના સંચાલકો સામે પોલીસની શંકાની સોય જતા ક્રાઈમ બ્રાંચ વડોદરાએ અને ઓએસીસ સંસ્‍થાના સંચાલકો પ્રીતિબેન શાહ, સંજીવ શાહ અને વૈષ્‍ણવીબેન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.હજુ રહસ્‍યો વધુ તપાસમાં બહાર આવી શકે એમ છે તેવું તપાસ એજન્‍સીઓ માની રહી છે.

Related posts

અશ્વમેઘ વિધાલય સોઢલવાડામાં વિજ્ઞાનપ્રવાહમાં પલક વિપુલભાઈ પટેલ B1ગ્રેડ PR 79.09 મેળવી મેળવીને ડહેલી ગામનું ગૌરવ વધાર્યું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવના જિ.પં. તથા ન.પા.ના અધ્‍યક્ષોએ દિલ્‍હી કર્તવ્‍ય પથ ખાતે પ્રદેશની માટી ભરેલા અમૃત કળશનું કરેલું અર્પણ

vartmanpravah

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

vartmanpravah

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

vartmanpravah

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

Leave a Comment