April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

લઘુરુદ્ર યજ્ઞ દ્વારા પારડી સહિત વિશ્વ કલ્‍યાણની કામના કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: જેના નામ અને હયાતીથી પારડી કિલ્લા પારડી તરીકે ઓળખાય છે એવા શિવાજી મહારાજના કિલ્લા તરીકે ઓળખાતા કિલ્લાની તળેટીમાં અને 99 એકરના ઐતિહાસિક તળાવના કિનારે આવેલ અતિ પ્રાચીન પેશ્વાઈ સમયના અને શિવાજીએ પણ જેમની પૂજા કરી હોય એવા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર 1998 માં કરવામાં આવ્‍યો હતો.
પારડી મહાજન ટ્રસ્‍ટ સંચાલિત આ વૈજનાંથ મહાદેવ મંદિર જીણોધ્‍ધાર બાદ 25 વર્ષ પૂર્ણ કરી 26 માં વર્ષ પ્રવેશ કરી રહ્યો હોય આ મંદિરનો 26મો પાટોત્‍સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્‍યો હતો.
આજરોજ સવારથી જ શરૂ થયેલ પૂજા અર્ચનામાં ખૂબ મોટી સંખ્‍યામાં લોકોએ ભાગ લીધો હતો. આચાર્ય પરેશભાઈ જવાની દ્વારા લઘુ રુદ્ર યજ્ઞ અહીં કરવામાં આવ્‍યો હતો. જેને લઈ પારડી સહિત સમગ્ર વિશ્વનું કલ્‍યાણ થાય એવી મંગલકામના કરવામાં આવી હતી. પાંચ જેટલા જોડાઓએ અહીં ચાલી રહેલ પૂજામાં ભાગ લઈ મહાદેવના આશીર્વાદ મેળવ્‍યા હતા અને બપોરે રાખવામાં આવેલમહાપ્રસાદમાં પણ ખૂબ મોટી સંખ્‍યામાં લોકોએ ભાગ લીધો હતો.

Related posts

દાનહના દૂધની ગામના દરેક ફળિયાના મુખ્‍ય પંચે લીધેલો નિર્ણયઃ લગ્ન પ્રસંગોમાં દારૂ-બિયર, તાડી ચિકન-મટન પિરસનાર સામે રૂા.50 હજારનો દંડ કરાશે

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ડો. નાનુભાઈ પટેલે 16 સમિતિઓના પ્રભારીઓની કરેલી નિમણૂક: કોળી પટેલ સમાજને એક અને નેક બની કામ કરવા આપેલી પ્રેરણા

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

વાપી નામધામાં 15 વર્ષિય સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ રિવરફ્રન્‍ટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ મનાવવામાં આવી

vartmanpravah

Leave a Comment