October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

લઘુરુદ્ર યજ્ઞ દ્વારા પારડી સહિત વિશ્વ કલ્‍યાણની કામના કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: જેના નામ અને હયાતીથી પારડી કિલ્લા પારડી તરીકે ઓળખાય છે એવા શિવાજી મહારાજના કિલ્લા તરીકે ઓળખાતા કિલ્લાની તળેટીમાં અને 99 એકરના ઐતિહાસિક તળાવના કિનારે આવેલ અતિ પ્રાચીન પેશ્વાઈ સમયના અને શિવાજીએ પણ જેમની પૂજા કરી હોય એવા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર 1998 માં કરવામાં આવ્‍યો હતો.
પારડી મહાજન ટ્રસ્‍ટ સંચાલિત આ વૈજનાંથ મહાદેવ મંદિર જીણોધ્‍ધાર બાદ 25 વર્ષ પૂર્ણ કરી 26 માં વર્ષ પ્રવેશ કરી રહ્યો હોય આ મંદિરનો 26મો પાટોત્‍સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્‍યો હતો.
આજરોજ સવારથી જ શરૂ થયેલ પૂજા અર્ચનામાં ખૂબ મોટી સંખ્‍યામાં લોકોએ ભાગ લીધો હતો. આચાર્ય પરેશભાઈ જવાની દ્વારા લઘુ રુદ્ર યજ્ઞ અહીં કરવામાં આવ્‍યો હતો. જેને લઈ પારડી સહિત સમગ્ર વિશ્વનું કલ્‍યાણ થાય એવી મંગલકામના કરવામાં આવી હતી. પાંચ જેટલા જોડાઓએ અહીં ચાલી રહેલ પૂજામાં ભાગ લઈ મહાદેવના આશીર્વાદ મેળવ્‍યા હતા અને બપોરે રાખવામાં આવેલમહાપ્રસાદમાં પણ ખૂબ મોટી સંખ્‍યામાં લોકોએ ભાગ લીધો હતો.

Related posts

સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા દાભેલના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તિથિ ભોજન બદલ શાળાએ માનેલો આભાર

vartmanpravah

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah

સેલવાસ-ડોકમરડી ફલાયઓવર બ્રિજ નજીક રીંગ રોડ પર ટ્રકની ટક્કર વાગતા સાયકલ સવારનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

દાનહના સીલી ખાતે 0.92 હેક્‍ટરની સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણની સાથે બાંધકામ પણ કરાતા પ્રશાસન દ્વારા હટાવાયું

vartmanpravah

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

Leave a Comment