April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

વિદ્યાર્થીની પૂનમ ખેરાતએ કર્ણાટક ધારવડ ખાતે નેશનલ કેમ્‍પમાં ભાગ લીધો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી ચણોદ સ્‍થિત કે.બી.એમ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત એન.એસ.એસ.(રાષ્‍ટ્રીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. એન.એસ.એસ.ના દરેક સ્‍વયં સેવકોને વર્ષ દરમ્‍યાન વ્‍યક્‍તિ, સમાજ અને દેશના વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત રહી નિઃસ્‍વાર્થ સેવા બજાવે છે. આ સેવાને ધ્‍યાનમાં રાખતા યુવા કલ્‍યાણ અને રમત-ગમત વિભાગ ભારત સરકારની પ્રાદેશિક એન.એસ.એશ. સેલ કર્ણાટક અંતર્ગત કર્ણાટક યુનિવર્સિટી ધારવડ અને એન.એસ.એસ. સેલના સંયુક્‍ત આયોજન દ્વારા નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પ 2024નું આયોજન કર્ણાટક યુનિવર્સિટી ધારવડ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓમાંથી મોટી સંખ્‍યામાં એન.એસ.એસ.ના સ્‍વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કેમ્‍પમાં સદર કોલેજની વિદ્યાર્થીની પૂનમ ખેરાત એ ભાગ લઈ કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ કેમ્‍પનું આયોજન કરવામાં મુખ્‍ય હેતુ દરેકનેએકતામાં લાવી તંદુરસ્‍ત, મજબુત અને વિવિધતામાં એકતા કેળવી દેશની વિવિધ સાંસ્‍કૃતિક પણ એકતા છે તેનો અનુભવ કરાવ્‍યો હતો. એમ સ્‍ટેટ એન.એસ.એસ. ઓફિસર ઓફ કર્ણાટક સરકારે જણાવ્‍યું હતું. પૂનમને સંપૂર્ણ માર્ગદર્શન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.ખુશ્‍બુ દેસાઈએ પૂરૂ પાડયું હતું. આમ સમગ્ર કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો.પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થી તેમજ પ્રોગ્રામ ઓફિસરનો આભાર વ્‍યક્‍ત કરી જીવનમાં સફળ થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

ચોમાસામાં અવાર નવાર ડૂબાઉ કોઝ-વેથી સંર્પક વિહોણા થતાં ચીખલીના સતાડી ગામના પીપળા ફળિયાના લોકોની નવો પુલ બનાવવા ઉઠેલી માંગ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો આપણી સંસ્કૃતિમાં સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, સેવાને ભક્તિ, શ્રદ્ધા અને આરાધના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છેઃ પીએમ

vartmanpravah

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

vartmanpravah

વલસાડની હરિયા પીએચસીમાં રૂ.76 લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્‍ધ થશે 

vartmanpravah

Leave a Comment