Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં નિર્માણધીન એસટી ડેપોનો સ્લેબ ભરતી વખતે જ અચાનક ધરાશયી થતા ૮ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત

ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયાઃ ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ચીખલી એસટી ડેપોનું લાખો રૂપિયાના ખર્ચે બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમ્‍યાન શુક્રવારના રોજ સ્‍લેબમાં કોન્‍ક્રીટ ભરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્‍યાન બપોરના સમયે અચાનક સ્‍લેબના લાકડાના ટેકા તૂટવા સાથે સેન્‍ટિંગ પ્‍લેટ, સળિયા સહિતનું માળખું અને કોન્‍ક્રીટ અચાનક ધરાશયી થતા ત્‍યાં કામ કરી રહેલા શ્રમિકોમાં અફરા તફરી મચી જવા પામી હતી. અને આ રીતે ચાલુ કામે સ્‍લેબ ધરાશયી થતા આઠ જેટલા શ્રમિકોને નાની મોટી ઈજા થઈ હતી. બનાવને પગલે આસપાસના લોકો પણ ધસી આવી ઈજાગ્રસ્‍ત તમામને 108 મારફતે આલીપોર હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સ્‍થળ પર પ્રાંત અધિકારી મિતેશભાઈ પટેલ, મામલતદાર અર્જુનભાઈ વસાવા, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, પીએસઆઈ-એચ.એસ.પટેલ સહિતના ધસી આવ્‍યા હતા.
એસટી ડેપોના સ્‍લેબ ભરતી વખતે ધરાશયી થયાના બનાવમાં કોન્‍ટ્રાકટરની ગંભીર બેદરકારી બહાર આવવા પામી છે. બાંધકામમાં ઉપયયોગમાં લેવાઈ રહેલ રેતી, ઈંટ સહિતના માલસામાનની ગુણવત્તા પણ ચકાસવી જરૂરી જણાઈ રહી છે. નિર્માણ સમયે જ સ્‍લેબ ધરાશયી થતો હોય ત્‍યારે કામની ગુણવત્તા કેવી હશે. તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે. સમગ્ર બનાવમાં ભ્રષ્ટાચારસાથે તકલાદી કામની ભીતિ સેવાઈ રહી છે. ત્‍યારે કામની ગુણવતા સાથે શ્રમિકોની સલામતી માટે બેદરકારી સંદર્ભે પણ તપાસ કરી જવાબદાર સામે પગલા લેવાઈ તે જરૂરી છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેશભાઈએ પણ ઈજાગ્રસ્‍તોની મુલાકાત લીધી હતી.
આલીપોર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રમિકો
(1) જીગ્નેશ મંગુભાઈ હળપતિ, (2) દિવ્‍યેશ ભીમભાઈ રાઠોડ, (3) યશ સતિષભાઈ હળપતિ (ત્રણેય રહે.રાનકુવા નવાનગર તા.ચીખલી), (4) ઊર્મિલાબેન અશ્વિનભાઈ (રહે.વાંસદા કોરિપાડા ફળીયા), (5) સરું જયંતીભાઈ (રહે.વાંસદા નિશાળ ફળીયા તા.વાંસદા), નિમેષ છગનભાઈ (વાંસદા ચોરવણી), (6) ઉપરોક્‍ત પૈકીના બે ને આલીપોર હોસ્‍પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ હતી.
ચીખલીની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રમિકો
(1) કાળુભાઈ જેઠીયાભાઈ ગામીત, (2) સવિતાબેન કાળુભાઈ ગામીત (બંને રહે.નવાપુર મહારાષ્‍ટ્ર).

Related posts

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણની દેવકા શાળાથી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનની પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ કરાવી શરૂઆત

vartmanpravah

Leave a Comment