October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં 1લી જુલાઈનાં 2024નાં રોજ સોમવારે રાષ્‍ટ્રીય ડૉક્‍ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે આપણાં જીવનમાં અને સમાજમાં ડૉક્‍ટરોનું યોગદાનને સન્‍માન આપવા માટે 1લી જુલાઈનાં રોજ ડૉક્‍ટર્સ-ડે તરીકે મનાવવાં આવે છે હોવાનું નાના બાળકોને શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.
આજનાં ડૉક્‍ટર્સ-ડે ઉજવણી નિમિત્તે વિશ્વભરના ડૉકટરોની ભાવનાને યાદ કરી દર્દીઓની સુખાકારી સુનિヘતિ કરવા માટે દિવસ-રાત ડૉકટરો કામ કરે છે. એ માટે એમના પ્રતિ કળતજ્ઞતાના પ્રતીક રૂપે પ્રિ-સ્‍કૂલ સલવાવનાં તમામ વિદ્યાર્થીઓએ તબીબી ક્ષેત્રને લગતા વિવિધ રીતે વિવિધ પરિધાનોને ધારણ કરી ડૉક્‍ટર્સ દિવસની ઉજવણી કરી હતી. જેમાં નાના ભૂલકાઓ ડૉકટર, નર્સ, કમ્‍પાઉન્‍ડર, દર્દી બની હોસ્‍પિટલમાં ડૉકટરો અને એમના સ્‍ટાફદ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને વિવિધ ભૂમિકા ભજવી જીવંત સર્જનાત્‍મકતા રજૂ કરી હતી.
વિદ્યાર્થીઓની સર્જનાત્‍મકતા અને કલ્‍પનાશક્‍તિને ઉત્તેજીત કરવા માટે ભૂમિકા ભજવવી જરૂરી છે અને તે સંચાર, સહાનુભૂતિ અને સમાજીકરણ જેવી કુશળતા વિકસાવવામાં પણ મદદ કરે છે. આ બાબતોને ધ્‍યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે ‘ડોક્‍ટરની ભૂમિકા’ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ડોકટર દિવસની ઉજવણીમાં નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીનાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ડૉક્‍ટર-નર્સ, દર્દીની ભૂમિકા ભજવી હતી અને રોજીંદા જીવનમાં ડૉક્‍ટર્સની કીટ, સ્‍વસ્‍થ આદતો, વ્‍યક્‍તિગત સ્‍વચ્‍છતા વગેરેનો સંદેશો આપ્‍યો હતો.

Related posts

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવાના મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા યોજાયેલી વિશાળ મૌન રેલીઃ સમાજના આગેવાનો દ્વારા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરેલું આવેદનપત્ર

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં કારમાં ઘાતક હથિયાર લઈને આવેલા પાંચ શખ્‍સોએ યુવાન ઉપર હુમલો કર્યો

vartmanpravah

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

vartmanpravah

Leave a Comment