April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં 1લી જુલાઈનાં 2024નાં રોજ સોમવારે રાષ્‍ટ્રીય ડૉક્‍ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે આપણાં જીવનમાં અને સમાજમાં ડૉક્‍ટરોનું યોગદાનને સન્‍માન આપવા માટે 1લી જુલાઈનાં રોજ ડૉક્‍ટર્સ-ડે તરીકે મનાવવાં આવે છે હોવાનું નાના બાળકોને શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.
આજનાં ડૉક્‍ટર્સ-ડે ઉજવણી નિમિત્તે વિશ્વભરના ડૉકટરોની ભાવનાને યાદ કરી દર્દીઓની સુખાકારી સુનિヘતિ કરવા માટે દિવસ-રાત ડૉકટરો કામ કરે છે. એ માટે એમના પ્રતિ કળતજ્ઞતાના પ્રતીક રૂપે પ્રિ-સ્‍કૂલ સલવાવનાં તમામ વિદ્યાર્થીઓએ તબીબી ક્ષેત્રને લગતા વિવિધ રીતે વિવિધ પરિધાનોને ધારણ કરી ડૉક્‍ટર્સ દિવસની ઉજવણી કરી હતી. જેમાં નાના ભૂલકાઓ ડૉકટર, નર્સ, કમ્‍પાઉન્‍ડર, દર્દી બની હોસ્‍પિટલમાં ડૉકટરો અને એમના સ્‍ટાફદ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને વિવિધ ભૂમિકા ભજવી જીવંત સર્જનાત્‍મકતા રજૂ કરી હતી.
વિદ્યાર્થીઓની સર્જનાત્‍મકતા અને કલ્‍પનાશક્‍તિને ઉત્તેજીત કરવા માટે ભૂમિકા ભજવવી જરૂરી છે અને તે સંચાર, સહાનુભૂતિ અને સમાજીકરણ જેવી કુશળતા વિકસાવવામાં પણ મદદ કરે છે. આ બાબતોને ધ્‍યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે ‘ડોક્‍ટરની ભૂમિકા’ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ડોકટર દિવસની ઉજવણીમાં નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીનાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ડૉક્‍ટર-નર્સ, દર્દીની ભૂમિકા ભજવી હતી અને રોજીંદા જીવનમાં ડૉક્‍ટર્સની કીટ, સ્‍વસ્‍થ આદતો, વ્‍યક્‍તિગત સ્‍વચ્‍છતા વગેરેનો સંદેશો આપ્‍યો હતો.

Related posts

‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

વેલુગામ સ્‍થિત દોડીયા સીન્‍થેટીક્‍સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર

vartmanpravah

દમણ-દીવ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 36 કેસોનું સમાધાન : રૂા.1.49 કરોડનું સેટલમેન્‍ટ

vartmanpravah

કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ચીખલીના દેગામમાં સરપંચ અને ગ્રામજનોએ છાપો મારતા એક કપલ મળી આવતા મચેલો હોબાળો

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

vartmanpravah

રાષ્‍ટ્રીય ભાજપ ઓબીસી મોર્ચાના કોષાધ્‍યક્ષ ગજેન્‍દ્ર યાદવની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ ભાજપ ઓબીસી મોર્ચાએ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને એક અલગ અંદાજમાં પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment