February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

હવે દાનહ-દમણ-દીવની સરકારી હોસ્‍પિટલો સહિત પડોશના રાજ્‍યોની અન્‍ય હોસ્‍પિટલોમાં પણ કોઈપણ પ્રકારના રેફરન્‍સ લેટર વગર સારવારની સુવિધા મળશેઃ ડો. વી.કે.દાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’ની રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા 1 ફેબ્રુઆરી, 2024થી શરૂ કરી દેવામાં આવી છે. સંઘપ્રદેશના આરોગ્‍ય સલાહકાર અને અતિરિક્‍ત સી.ઈ.ઓ. ડો.વી.કે.દાસે માહિતી આપતાં જણાવ્‍યું છે કે, છેલ્લાં કેટલાક વર્ષથી કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’ સફળતાપૂર્વક લાગૂ છે. ભારત સરકાર દ્વારા આ યોજનાના લાભ માટે કેટલાક નિયમો લાગુ કરેલ છે. સ્‍થાનિક પ્રશાસન દ્વારા એમાં વધારો કર્યો છે. હવે આ યોજનાનું રજીસ્‍ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્‍યું છે, જેમાં અંદાજીત 47,500 પરિવારોનું ઓટો રીન્‍યુઅલ કરી તેઓનું પ્રીમિયમ સ્‍થાનિક પ્રશાસન અને સરકાર દ્વારા ભરી દેવામાં આવ્‍યું છે.
માપદંડો પ્રમાણે અલગ અલગ રજીસ્‍ટ્રેશન ફી ભરી મફત ઇલાજનો લાભ મળી શકે છે. અગાઉ આ યોજના અંતર્ગત સિવિલ હોસ્‍પિટલમાંથી જે દર્દીઓને મોકલવામાં આવતા હતા ફક્‍ત તેઓ જ પ્રદેશ બહારની ખાનગી હોસ્‍પિટલોમાં સારવારનો લાભ મેળવતા હતા. પરંતુ હવે સંઘપ્રદેશના તમામ લાભાર્થી દર્દીઓને પણ પ્રદેશ બહારની હોસ્‍પિટલોમાં ઉપચારની સુવિધા મળી શકશે.

Related posts

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસ નિમિતે શોર્ટ વીડિયો મેકિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

vartmanpravah

કપરાડા-ડાંગમાં કમોસમી વરસાદ પડયો: આંબા પર તૈયાર કેરી પાક ઉપર આડ અસરની ચિંતા

vartmanpravah

ખેરડી પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment