Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

હવે દાનહ-દમણ-દીવની સરકારી હોસ્‍પિટલો સહિત પડોશના રાજ્‍યોની અન્‍ય હોસ્‍પિટલોમાં પણ કોઈપણ પ્રકારના રેફરન્‍સ લેટર વગર સારવારની સુવિધા મળશેઃ ડો. વી.કે.દાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’ની રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા 1 ફેબ્રુઆરી, 2024થી શરૂ કરી દેવામાં આવી છે. સંઘપ્રદેશના આરોગ્‍ય સલાહકાર અને અતિરિક્‍ત સી.ઈ.ઓ. ડો.વી.કે.દાસે માહિતી આપતાં જણાવ્‍યું છે કે, છેલ્લાં કેટલાક વર્ષથી કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’ સફળતાપૂર્વક લાગૂ છે. ભારત સરકાર દ્વારા આ યોજનાના લાભ માટે કેટલાક નિયમો લાગુ કરેલ છે. સ્‍થાનિક પ્રશાસન દ્વારા એમાં વધારો કર્યો છે. હવે આ યોજનાનું રજીસ્‍ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્‍યું છે, જેમાં અંદાજીત 47,500 પરિવારોનું ઓટો રીન્‍યુઅલ કરી તેઓનું પ્રીમિયમ સ્‍થાનિક પ્રશાસન અને સરકાર દ્વારા ભરી દેવામાં આવ્‍યું છે.
માપદંડો પ્રમાણે અલગ અલગ રજીસ્‍ટ્રેશન ફી ભરી મફત ઇલાજનો લાભ મળી શકે છે. અગાઉ આ યોજના અંતર્ગત સિવિલ હોસ્‍પિટલમાંથી જે દર્દીઓને મોકલવામાં આવતા હતા ફક્‍ત તેઓ જ પ્રદેશ બહારની ખાનગી હોસ્‍પિટલોમાં સારવારનો લાભ મેળવતા હતા. પરંતુ હવે સંઘપ્રદેશના તમામ લાભાર્થી દર્દીઓને પણ પ્રદેશ બહારની હોસ્‍પિટલોમાં ઉપચારની સુવિધા મળી શકશે.

Related posts

લાઈસન્‍સ વિનાના વ્‍યાજખોરો હવે થશે જેલ ભેગા : શરૂઆતમાં જ સફળતા પ્રાપ્ત કરતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

વંદુ એ જગદીશને કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

vartmanpravah

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

Leave a Comment