Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં વિવિધ રામાયણ પાત્ર સ્‍પર્ધાના બાળકોનું સન્‍માન કરાયું

શ્રી ઘનશ્‍યામવિદ્યામંદિર સલવાવના ભક્‍તિ વેદાંત સંસ્‍થા તરફથી આયોજિત રામાયણ પર આધારિત વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને અપાયા પ્રમાણપત્રો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: અયોધ્‍યામાં 22મી જાન્‍યુઆરી 2024 ના રોજ નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ઉત્‍સાહભેર કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં વિદ્યાર્થીઓ આપણી પરંપરા સંસ્‍કળતિ અને આપણા હિન્‍દુ વારસાને સમજે એ ઉદ્દેશ્‍યથી ભક્‍તિ વેદાંત સંસ્‍થા દ્વારા અંબા માતા મંદિર ગ્રાઉન્‍ડ ખાતે રામાયણ પર આધારિત ક્‍વિઝ, વાર્તાકથન અને ડ્રોઈંગ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍પર્ધાઓમાં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવના કુલ 22 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેનું પરિણામ જાહેર થતાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ભાગ લેનારા સર્વે વિદ્યાર્થીઓને મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજય કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, ડાયરેક્‍ટર શ્રી ડૉ.શૈલેષ લુહાર શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણો અને શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

વાપી જકાતનાકા બલીઠા પાસેથી એસ.ઓ.જી.એ દેશી બનાવટની પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની ડંકો વગાડ્યો, હાલ હૈદરાબાદ એરપોર્ટથી ઉડાવે છે ઈન્ટરનેશનલ ફલાઈટ

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ફુલ આપી નિયમોના પાલન કરવા બાબતે આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment