(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: સરકાર દ્વારા જંત્રી રિવિઝન અંગેની કામગીરી કરવામાં આવે છે જેના અનુસંધાને રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આનુસંગિક કાર્યવાહી હાથ ધરવા માટે સૈધાંતિક મંજુરી મળતા વલસાડ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ નિયત સમયમર્યાદામાં જંત્રી રિવિઝનની કામગીરી પૂર્ણ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે સંબંધિત તાલુકા અને સીટી મામલતદારની દેખરેખ હેઠળ દરેક તાલુકાની સર્વે ટીમો દ્વારા દરેક ગામોની મુલાકાત લઈ ફિલ્ડમાં સર્વેની કામગીરી ચોકસાઈ પૂર્વક કરવામાં આવી રહી છે એમ સ્ટેમ્પડ્યુટી મુલ્યાંકન તંત્રની અખબારી યાદીમાં જણાવાયું છે.