Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

રૂ.1.59 કરોડના ખર્ચે પાલિકાના અલગ અલગ 31 સ્‍થળોએ સ્‍ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવા માટે પાલિકાને મળેલી વહીવટી મંજૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારુશીલાબેન પટેલ અને એનીટીમે પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ પાલિકા હદ વિસ્‍તારમાં વરસાદી પાણી ભરાવાની ચોમાસા દરમિયાન સર્જાતી સમસ્‍યાનો અંત લાવવા કરેલા પ્રયાસમાં સફળતા મળતા પાલિકાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. આ પહેલા પાલિકા વહીવટે પાલિકા હદ વિસ્‍તારમાં પાણી ભરાવાના સ્‍થળોએ યોગ્‍ય રીતે વરસાદી પાણીનો નિકાલ થાય એ માટે ભૌગોલિક તાગ મેળવી સ્‍ટ્રોંગ વોટર ડ્રેઇન બનાવવા માટે એક દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. જે દરખાસ્‍તને સરકાર દ્વારા પ્રાધાન્‍ય આપવામાં આવે એવા પ્રયાસો પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટ અને પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ અને એમની ટીમ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જેને નગરપાલિકા પ્રાદેશિક કમિ‘ર દ્વારા પ્રાધાન્‍ય આપતા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અને રૂ.1.59 કરોડના ખર્ચે પાલિક હદ વિસ્‍તારના અલગ અલગ 31 સ્‍થળોને આ કામ હેઠળ આવરી લેવામાં આવ્‍યા છે જેના કારણે પાલિકાના મોટાભાગના વિસ્‍તારમાં વરસાદી વહેણની સ્‍ટ્રોમ વોટર ડ્રેઇન નિર્માણ થયા બાદ લગભગ વરસાદી પાણીના ભરાવાની સમસ્‍યાનો અંત આવશે એવી પ્રબળ શકયતા દેખાઈ રહી છે.

Related posts

દમણનાં શિક્ષક કવિ વિરેન્‍દ્ર પટેલને મળ્‍યો વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ એવોર્ડ

vartmanpravah

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

સાવધાન : વલસાડ જિલ્લામાં કોરોનાએ ડબ્‍બલ સદી ફટકારી બુધવારે 218 કેસ : આરોગ્‍ય તંત્રની વધેલી દોડધામ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાનનું સસ્‍પેન્‍શન પરત ખેંચાતા સંભાળેલો ફરી અખત્‍યાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્‍ટર નૈમેષ દવેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment