April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

(

 

 

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.21: વલસાડ નજીક વાઘલધરા નેશનલ હાઈવે ઉપર સાંજના સમયે એક ટેન્‍કર પલ્‍ટી મારી જતા ભીષણ આગ લાગી હતી. આગના વિકરાર સ્‍વરૂપને લઈ પોલીસએ હાઇવેનું આવાગવન અટકાવી દીધું હતું. ઘટના સ્‍થળે ફાયર ફાયર ફાયટરો આગ બુજાવાની જહેમત ઉઠાવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે કેમિકલ ભરેલું ટેન્‍કર પલટી ગયા બાદ આગ લાગતા બે લોકોના મોત થયા છે. નેશનલ હાઈવે-48 પર બુધવારે સાંજે સવા છ વાગ્‍યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્‍કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરતફરી મચી હતી. જ્‍વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્‍ડોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરનો બંને તરફનો વાહનવ્‍યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. ચારથી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. ઘટનાસ્‍થળ પરથી એક મૃતદેહ ટેન્‍કરમાંથી અને બીજો બહારથી મળી આવ્‍યો છે. બંને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

vartmanpravah

વાપી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ટીમ હિંમતનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમવા રવાના થઈ

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

vartmanpravah

Leave a Comment