Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

(

 

 

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.21: વલસાડ નજીક વાઘલધરા નેશનલ હાઈવે ઉપર સાંજના સમયે એક ટેન્‍કર પલ્‍ટી મારી જતા ભીષણ આગ લાગી હતી. આગના વિકરાર સ્‍વરૂપને લઈ પોલીસએ હાઇવેનું આવાગવન અટકાવી દીધું હતું. ઘટના સ્‍થળે ફાયર ફાયર ફાયટરો આગ બુજાવાની જહેમત ઉઠાવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે કેમિકલ ભરેલું ટેન્‍કર પલટી ગયા બાદ આગ લાગતા બે લોકોના મોત થયા છે. નેશનલ હાઈવે-48 પર બુધવારે સાંજે સવા છ વાગ્‍યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્‍કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરતફરી મચી હતી. જ્‍વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્‍ડોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરનો બંને તરફનો વાહનવ્‍યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. ચારથી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. ઘટનાસ્‍થળ પરથી એક મૃતદેહ ટેન્‍કરમાંથી અને બીજો બહારથી મળી આવ્‍યો છે. બંને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્‍સવ નિમિત્તે માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞ

vartmanpravah

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીનો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

અમદાવાદથી કર્ણાટક જતી લક્‍ઝરી ખડકી પાસે બળીને ખાક

vartmanpravah

Leave a Comment