January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

(

 

 

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.21: વલસાડ નજીક વાઘલધરા નેશનલ હાઈવે ઉપર સાંજના સમયે એક ટેન્‍કર પલ્‍ટી મારી જતા ભીષણ આગ લાગી હતી. આગના વિકરાર સ્‍વરૂપને લઈ પોલીસએ હાઇવેનું આવાગવન અટકાવી દીધું હતું. ઘટના સ્‍થળે ફાયર ફાયર ફાયટરો આગ બુજાવાની જહેમત ઉઠાવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે કેમિકલ ભરેલું ટેન્‍કર પલટી ગયા બાદ આગ લાગતા બે લોકોના મોત થયા છે. નેશનલ હાઈવે-48 પર બુધવારે સાંજે સવા છ વાગ્‍યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્‍કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરતફરી મચી હતી. જ્‍વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્‍ડોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરનો બંને તરફનો વાહનવ્‍યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. ચારથી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. ઘટનાસ્‍થળ પરથી એક મૃતદેહ ટેન્‍કરમાંથી અને બીજો બહારથી મળી આવ્‍યો છે. બંને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

ચીખલીના ઉજળિયાત સમાજના એક ગામમાં પોતાનું જ ધારેલું કરાવવા ટેવાયેલા નેતાને તાબે ન થનાર પરિવારને ગામમાંથી દૂર કરાતા ચકચાર

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સેલવાસની નમો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું ભવ્‍ય સમર્પણઃ વ્‍હાઈટ કોટ સેરેમની સંપન્ન

vartmanpravah

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉદવાડા અનાવિલ વાડી ખાતે કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

Leave a Comment