(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: ટૂંક જ સમયમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે. આ ગણેશ મહોત્સવ દરમ્યાન અનેક મંડળો અવનવા ડેકોરેશન કરી ગણેશજીના દર્શનની સાથે મનોરંજન પણ પૂરું પાડતા હોય છે.
ભારત ભરમાં ચારધામની યાત્રા સૌથી કઠિન માનવામાં આવે છે. જેમાં કેદારનાથના દર્શન નસીબદારો જ કરી શકે છે.
છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ સ્થાપના કરતા જૂની મામલતદાર સ્થિત બ્રહ્મદેવ મંડળના યુવાનો શ્રી કેદારનાથજીનો ફોટો જોઈ જેઓ કેદારનાથ જઈ શકતા નથી તેઓને અહીં જ કેદારનાથના દર્શન કરાવવાના શુભ આશ્રયથી પારડી જૂની મામલતદાર સ્થિત બ્રહ્મદેવ મંડળ ખાતે આબેહૂબ કેદારનાથજીનું મંદિર બનાવી ગણેશ મહોત્સવ દરમ્યાન અહીં જ સૌ ભક્તોને કેદારનાથજીના દર્શન કરાવશે.