July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ પરિસરમાં લોક અદાલત યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્‍હી અને રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દાદરા નગર હવેલીની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાનહ દ્વારા સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ પરિસરમાં રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ચેક બાઉન્‍સના કેસો, શ્રમ વિભાગ, મોટર અકસ્‍માતના કેસો, જમીન સંપાદનના કેસો, રેવન્‍યૂ કેસો, મેટ્રિમોનિયલ વિવાદો, ફોજદારી કંપાઉન્‍ડેબલ કેસો, બેંક ગ્રાહક કેસો, ગ્રામ પંચાયત હાઉસ ટેક્‍સ, ગુજરાત ગેસ પ્રી-લીટીગેશન સહિતના વિવિધ કેસોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. વસૂલાતના કેસોને લગતા વિવાદોને સોહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. લોક અદાલતમાં કુલ 1580 કેસોમાંથી 45 કેસોનું સમાધાનકરવામાં આવ્‍યું હતું. જેમાં કુલ રૂા. 1,63,34,200ની રકમનું પતાવટ કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે પ્રિન્‍સિપાલ ડિસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન જજ સુશ્રી સાપટણેકર, સિવિલ જજ એન્‍ડ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટક્‍લાસ શ્રી બી.એચ.પરમાર, બાર એસોસિએશનના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં અરજદારો અને સામા પક્ષકાર હાજર રહ્યા હતા.

Related posts

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને દરેક નાગરિકની ચિંતા છે અને તેઓ દરેક નાગરિક સુધી કેન્‍દ્ર સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા કટિબધ્‍ધઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

ચીખલી તથા ખેરગામ પોલીસ લાઈન ખાતે કુલ રૂા.12.48 કરોડના ખર્ચે નવનિર્મિત 65 પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

સેલવાસ ડોકમરડી ખાડી-દમણગંગા નદીમાં જળકુંભીનું વધેલું પ્રમાણ

vartmanpravah

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

vartmanpravah

Leave a Comment