Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

એક દિવસ પહેલા દિપડાએ પશુઓના વાડામાં બકરાનું મારણ કરેલું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં હિંસક પશુઓ ગ્રામ્‍ય રહેણાંક વિસ્‍તારમાં અવાર નવાર આવીને લોકોમાં ભયનો માહોલ ઉભા કરતા રહે છે તેવી ઘટના ધરમપુરના હનુમતમાળના મોહનપાડા ફળિયામાં બની હતી.
ધરમપુરના હનુમતમાળના મોહનપાડા ફળિયામાં એક દિવસ પહેલાં કદાવર દિપડો આવ્‍યો હતો. દિપડાએ પશુઓના વાડામાં એક બકરાનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા લોકોએ સરપંચને જણાવ્‍યું હતું. સરપંચએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે હનુમતમાળે આવીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં દિપડાની અવર જવરના ચિન્‍હો જોવા મળતા તાત્‍કાલિક પાંજરૂ ગોઠવ્‍યું હતું. રાબેતા મુજબ બીજા દિવસે શિકારી દિપડો ફરી શિકાર કરવા ગામમાં આવતા પાંજરામાં પુરાઈ ગયો હતો. પાંજરામાં દિપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

મામલતદાર સાગર ઠક્કરની આગેવાની હેઠળ સેલવાસ ઝંડાચોક શાળા પરિસરમાં મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં છઠ્ઠ પૂજાની ભવ્‍ય ઉજવણી : હજારો ભાવિકાઓ સૂર્યનારાયણ ભગવાનનો અર્ઘ્ય અભિષેક કર્યો

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

સંજાણ-સુરત મેમુ ટ્રેનમાં દારૂના જથ્‍થા સાથે વલસાડમાં બે ખેપીયા ઝડપાયા

vartmanpravah

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

Leave a Comment