October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

એક દિવસ પહેલા દિપડાએ પશુઓના વાડામાં બકરાનું મારણ કરેલું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં હિંસક પશુઓ ગ્રામ્‍ય રહેણાંક વિસ્‍તારમાં અવાર નવાર આવીને લોકોમાં ભયનો માહોલ ઉભા કરતા રહે છે તેવી ઘટના ધરમપુરના હનુમતમાળના મોહનપાડા ફળિયામાં બની હતી.
ધરમપુરના હનુમતમાળના મોહનપાડા ફળિયામાં એક દિવસ પહેલાં કદાવર દિપડો આવ્‍યો હતો. દિપડાએ પશુઓના વાડામાં એક બકરાનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા લોકોએ સરપંચને જણાવ્‍યું હતું. સરપંચએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે હનુમતમાળે આવીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં દિપડાની અવર જવરના ચિન્‍હો જોવા મળતા તાત્‍કાલિક પાંજરૂ ગોઠવ્‍યું હતું. રાબેતા મુજબ બીજા દિવસે શિકારી દિપડો ફરી શિકાર કરવા ગામમાં આવતા પાંજરામાં પુરાઈ ગયો હતો. પાંજરામાં દિપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભામાં ધારાસભ્‍ય પાટકરની સરમુખત્‍યારશાહી નીતિથી ભાજપના સભ્‍યોની હાલત દયનીય

vartmanpravah

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

vartmanpravah

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

Leave a Comment