Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ દિવસ નિમિત્તે કાર્યક્રમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ-ડે નિમિતે વાસોણા એનઈસી સેન્‍ટરમાં શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વનવિભાગના અધિકારી દ્વારા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા રખોલીના વિદ્યાર્થીઓને ત્રીજી માર્ચ વન્‍યજીવન દિવસ તરીકે પસંદકરવાનું કારણ, મનુષ્‍ય અને અન્‍ય પ્રજાતિઓના અસ્‍તિત્‍વ માટે જંગલી વનસ્‍પતિ અને પ્રાણીસૃષ્ટિનું મહત્‍વ, મોરેશિયસમાં ડોડો પક્ષીઓનું લુપ્ત થવા, ખોરાક અને દવા માટે છોડના મહત્‍વ, પતંગિયાઓનુ જીવન ચક્ર અને પરાગનયનનું મહત્‍વ, પક્ષીના ફળની ભૂમિકા અને બીજ વિખેરવાથી હવા અને પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો, પાનખર અને સદાબહાર વૃક્ષનું મહત્‍વ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્‍યારબાદ વિદ્યાર્થીઓને કેક્‍ટ્‍સ સહિત વિવિધ છોડોની મહત્‍વતા અંગે લાઈવ નિદર્શન કરાવવામાં આવ્‍યું હતું. આ અવસરે ડીસીએફ શ્રી જો.જુ.અલાપટ, આરએફઓ શ્રી ધવલ ગાવિત, શ્રી કિરણસિંહ પરમાર, વનવિભાગનો સ્‍ટાફ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રદેશમાં જ્‍યાં પણ કચરો દેખાય તેની તસવીર સ્‍વચ્‍છતા એપ ઉપર અપલોડ કરવા પંચાયતી રાજ સચિવે કરેલી હાકલ

vartmanpravah

ખડકી હાઈવે પર અજાણ્‍યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્‍થેળ જ મોત

vartmanpravah

લ્‍યો કરો વાત..! વાહ એનસીએલટી..! રૂા.250 કરોડની મિલકતનું મૂલ્‍ય માત્ર રૂા.20-22 કરોડ જ આંક્‍યુ..!

vartmanpravah

‘‘પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા” યોજનાની ચોથી વર્ષગાંઠ પર દીવને મળી ભેટ વણાંકબારા ફિશિંગ હાર્બરના નિર્માણ માટે રૂા.128.86 કરોડની રકમ મંજૂર કરાઈ

vartmanpravah

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

vartmanpravah

સંઘપ્રદેશની બુનિયાદી સમસ્‍યા અને જરૂરી વિકાસની સંભાવનાઓથી પરિચિત પ્રધાનમંત્રી મોદીએ પ્રશાસક તરીકે નોન આઈ.એ.એસ. પ્રફુલભાઈ પટેલની વરણી કરવાનો લીધેલો ઐતિહાસિક સાર્થક નિર્ણય

vartmanpravah

Leave a Comment