(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્લ્ડ વાઈલ્ડ લાઈફ-ડે નિમિતે વાસોણા એનઈસી સેન્ટરમાં શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનવિભાગના અધિકારી દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા રખોલીના વિદ્યાર્થીઓને ત્રીજી માર્ચ વન્યજીવન દિવસ તરીકે પસંદકરવાનું કારણ, મનુષ્ય અને અન્ય પ્રજાતિઓના અસ્તિત્વ માટે જંગલી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું મહત્વ, મોરેશિયસમાં ડોડો પક્ષીઓનું લુપ્ત થવા, ખોરાક અને દવા માટે છોડના મહત્વ, પતંગિયાઓનુ જીવન ચક્ર અને પરાગનયનનું મહત્વ, પક્ષીના ફળની ભૂમિકા અને બીજ વિખેરવાથી હવા અને પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો, પાનખર અને સદાબહાર વૃક્ષનું મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને કેક્ટ્સ સહિત વિવિધ છોડોની મહત્વતા અંગે લાઈવ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ અવસરે ડીસીએફ શ્રી જો.જુ.અલાપટ, આરએફઓ શ્રી ધવલ ગાવિત, શ્રી કિરણસિંહ પરમાર, વનવિભાગનો સ્ટાફ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.