Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

55 પરીક્ષા કેન્‍દ્ર ધો.10મા 33474, ધો.12 સામાન્‍ય પ્રવાહમાં 9857, સાયન્‍સના 7501 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણ-દાનહમાં આજે સોમવારથી ધો.10 અને ધો.12ની સામાન્‍ય પરીક્ષાનો પ્રારંભ થયો છે. કુલ 55832 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સજ્જ છે. વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં 55 પરીક્ષા કેન્‍દ્રમાં 178 બિલ્‍ડીંગ અને 2027 બ્‍લોકમાં પરીક્ષા કામગીરી ચાલશે. વહિવટી તંત્રએ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની ધો.10-12ની જાહેર પરીક્ષા માટે સજ્જતા વચ્‍ચે આજે પરીક્ષાનો પ્રારંભ થયો હતો.
સોમવારે ધો.10-12ની બોર્ડની જાહેર પરીક્ષાના પ્રારંભ પહેલાં જ સવારે 9 વાગ્‍યાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ જે તેપરીક્ષા કેન્‍દ્રમાં પહોંચી ગયા હતા. ક્‍યાંક વિદ્યાર્થીઓમાં ઉત્‍સાહ જોવા મળતો હતો તો ક્‍યાંક થોડી ચિંતા પણ નજરાતી હતી. 55 પરીક્ષા કેન્‍દ્રોમાં વહિવટી તંત્રએ પર્યાપ્ત ચુસ્‍ત વ્‍યવસ્‍થા કરી દીધી હતી. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો. વાપીમાં આર.જી.એ.એસ. હાઈસ્‍કૂલ, દેસાઈ એન.ડી.એન. હાઈસ્‍કૂલ, આશાધામ સ્‍કૂલ, ઉપાસના સ્‍કૂલ, સંસ્‍કાર ભારતી, મોડર્ન સ્‍કૂલ, વિદ્યા વિકાસ હિન્‍દી સ્‍કૂલ સહિત 11 કેન્‍દ્રોમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

Related posts

ચીખલી વંકાલના દીપકભાઈ સોલંકીની નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્ચાર્જ તરીકે નિમણૂક થતાં કાર્યકરોમાં છવાયેલો આનંદ

vartmanpravah

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

મતદાન બાદ વલસાડ સ્‍ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે

vartmanpravah

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

Leave a Comment