March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના દરને લઈ અનેક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માનસિક રીતે પરીક્ષાના ટેન્‍શનમાં આવી પોતાનું ઘર છોડી દઈ પરીક્ષા આપવાનું ટાળતા હોય છે અને કેટલીક વખત ન કરવાનું અચૂકતુ પગલું પણ ભરી લેતા અચકાતા નથી.
પારડી શહેર વિસ્‍તારમાં પણ ગઈકાલથી શરૂ થયેલ ધોરણ 10 અને 12 ની પરીક્ષાને લઈ પરીક્ષાના ડરે ઘર છોડી જવાનો કિસ્‍સો બનવા પામ્‍યો છે.
પારડી રામચોકની સામે રહેતા અને જલારામ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા મેહુલકુમાર રમેશચંદ્ર મોદી પોતાના ધંધાર્થે તારીખ 10.3.2023 ના રોજ અમદાવાદ ખાતે ગયા હતા.
આદરમિયાન પોતાના 19 વર્ષીય સોઢલવાડા અશ્વમેઘ શાળામાં ધોરણ 12 માં અભ્‍યાસ કરતા પુત્ર મોક્ષે અમદાવાદ ગયેલ પિતા સાથે બપોરના સમયે તમે કયારે આવશો મુજબની વાતો કરી હતી.
કામકાજ પતાવી મોડી રાત્રે ક્‍વીન ગાડીમાં પરત આવેલ પિતાને પત્‍ની ડોનિકાએ પુત્ર મોક્ષ સાંજે 6.30 વાગ્‍યા પછી કશે ઘર છોડી ચાલી ગયો જણાવતા પિતા મેહુલ કુમારે સગા સંબંધીઓ તથા આજુબાજુ વલસાડ વાપી વિગેરે સ્‍થળે તપાસ કરવા છતાં પુત્ર મોક્ષ મળી નહીં આવતા તેઓએ તા.11.3.2024 ના રોજ પારડી પોલીસ સ્‍ટેશનમાં પોતાના પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
મોક્ષ 5.6 ઇંચ ઊંચાઈ ધરાવતો ઘઉં વર્ણનો, મજબૂત બંધાનો અને લાંબી બાયની ખાખી કલરની ટીશર્ટ તથા વાદળી કલરનું જીન્‍સ અને પગમાં સેન્‍ડલ પહેરી હોય જો કોઈને ધ્‍યાને આવે તો પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી યુનુસ તલતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

મોટી દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે યોજાયેલ દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ પાછળ પ્રદેશના નાગરિકો, જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓનો સહિયારો પ્રયાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

Leave a Comment