Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના દરને લઈ અનેક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માનસિક રીતે પરીક્ષાના ટેન્‍શનમાં આવી પોતાનું ઘર છોડી દઈ પરીક્ષા આપવાનું ટાળતા હોય છે અને કેટલીક વખત ન કરવાનું અચૂકતુ પગલું પણ ભરી લેતા અચકાતા નથી.
પારડી શહેર વિસ્‍તારમાં પણ ગઈકાલથી શરૂ થયેલ ધોરણ 10 અને 12 ની પરીક્ષાને લઈ પરીક્ષાના ડરે ઘર છોડી જવાનો કિસ્‍સો બનવા પામ્‍યો છે.
પારડી રામચોકની સામે રહેતા અને જલારામ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા મેહુલકુમાર રમેશચંદ્ર મોદી પોતાના ધંધાર્થે તારીખ 10.3.2023 ના રોજ અમદાવાદ ખાતે ગયા હતા.
આદરમિયાન પોતાના 19 વર્ષીય સોઢલવાડા અશ્વમેઘ શાળામાં ધોરણ 12 માં અભ્‍યાસ કરતા પુત્ર મોક્ષે અમદાવાદ ગયેલ પિતા સાથે બપોરના સમયે તમે કયારે આવશો મુજબની વાતો કરી હતી.
કામકાજ પતાવી મોડી રાત્રે ક્‍વીન ગાડીમાં પરત આવેલ પિતાને પત્‍ની ડોનિકાએ પુત્ર મોક્ષ સાંજે 6.30 વાગ્‍યા પછી કશે ઘર છોડી ચાલી ગયો જણાવતા પિતા મેહુલ કુમારે સગા સંબંધીઓ તથા આજુબાજુ વલસાડ વાપી વિગેરે સ્‍થળે તપાસ કરવા છતાં પુત્ર મોક્ષ મળી નહીં આવતા તેઓએ તા.11.3.2024 ના રોજ પારડી પોલીસ સ્‍ટેશનમાં પોતાના પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
મોક્ષ 5.6 ઇંચ ઊંચાઈ ધરાવતો ઘઉં વર્ણનો, મજબૂત બંધાનો અને લાંબી બાયની ખાખી કલરની ટીશર્ટ તથા વાદળી કલરનું જીન્‍સ અને પગમાં સેન્‍ડલ પહેરી હોય જો કોઈને ધ્‍યાને આવે તો પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

વાસોણાની દુકાનમાં લુંટનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે હાથ ધરેલી વધુ તપાસ: આરોપીએ દુકાનદારને એરગન દ્વારા ગભરાવવાનો કર્યો હતો પ્રયાસ

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રૂ. ૨૬૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી

vartmanpravah

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્‍ત જોડાશે

vartmanpravah

Leave a Comment