December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

મનિષ રાયની કામયાબ રણનીતિ અને માર્ગદર્શન હેઠળ તાલુકાના કદાવર નેતા નરેશ વળવી અને ભગવાન ભરવાડ સહિત મોટી સંખ્‍યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપમાં કરેલું જોડાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામતાલુકામાં કોંગ્રેસ પક્ષની હાલત નબળી બની જવા પામી છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની ગણાતી ઘડીએ સરીગામના ભાજપી આગેવાન શ્રી મનીષભાઈ રાયે લોટસ અભિયાનની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડી દીધી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલી રહેલી કોંગ્રેસીઓને કેસરિયા કરવાની ગતિવિધિ આજરોજ ભીલાડ ભંડારી સમાજ હોલ ખાતે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, કપરાડા ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્‍થિતિ વચ્‍ચે પૂર્ણ થવા પામી છે. તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપમાં સમાવવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કદાવર નેતા શ્રી નરેશભાઈ વળવી અને શ્રી ભગવાનભાઈ ભરવાડ સહિત મોટી સંખ્‍યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શ્રી મનીષભાઈ રાયે મોટી સંખ્‍યામાં કોંગ્રેસી નેતા સાથે કાર્યકર્તાઓને ભાજપમાં જોડી તાલુકા કક્ષાએ એક તરફી માહોલ બનાવી લીધો છે. કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવા માટે છેલ્લા પાંચ છ દિવસથી ગતિવિધિ ચાલી રહી હતી. જેનીજવાબદારી સરીગામના આગેવાન શ્રી મનીષભાઈ રાયે સફળ પૂર્વક નિભાવતા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા તેમજ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરનું માર્ગદર્શન મેળવી કામ આગળ વધાર્યું હતું જેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓને સમજાવટ બાદ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જોડે બેઠક પણ કરાવી હતી. તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપાની વિકાસશીલ વિચારધારા પસંદ આવતા આજરોજ સાંજના સમયે ભાજપાના આગેવાનોની હાજરી વચ્‍ચે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્‍યામા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ જવા પામ્‍યા છે.

Related posts

હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, કિડની કેર મહેતા હોસ્‍પિટલ, અને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા નેશનલ ડોક્‍ટર્સ ડે ની કરાયેલુ ઉજવણી

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી પ્રા. શાળામાં શિક્ષક દિવસની ઉસ્‍તાહ પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

નવસારી લોકસભા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ મજબૂત દાવેદાર

vartmanpravah

વાપીનો વિદ્યાર્થી જેઈઈ પરીક્ષામાં વલસાડ જિલ્લામાં પ્રથમ ટોપ સ્‍કોરરબન્‍યો

vartmanpravah

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment