Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કન્‍યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્ધાટન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આજરોજ તા.13-03-2024 ના દિને વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી નગરપાલિકા કચેરીની બાજુમાં કન્‍યા વિદ્યા મંદિરના નવા મકાનનું ઉદ્દઘાટન માનનીય કનુભાઈ દેસાઈ નાણા મંત્રીશ્રી ગુજરાત સરકાર તથા નગરપાલિકા પ્રમુખ કાશ્‍મીરાબેન, ઉપપ્રમુખ અભય શાહ, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, નગરપાલિકા કારોબારી પ્રમુખ મિતેશ દેસાઈ, આર.કે. દેસાઈ કોલેજના ટ્રસ્‍ટી મિલન દેસાઈ તથા અન્‍ય મહાનુભવોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ છે. તે વખતે વાપી શહેરના અગ્રણી રાજુભાઈ હબીબભાઈ ચામડીયા, શ્રીમતી રજીયાબેન રાજુભાઈ ચામડીયા તથા મેઘના જ્‍વેલર્સ એમના તરફથી શુધ્‍ધ ઘીની બુંદી તથા ગાઠીયાનું વિતરણ આખી શાળામાં ભણતી તમામ બાળાઓને કરવામાં આવેલ છે સાથે પ્રદીપભાઈ શાહનો પણ ઘણો સાથ સહકાર રહ્યો હતો. તે માટે શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણે આભાર માન્‍યો હતો. રાજુભાઈ હબીબભાઈ ચામડિયા આવા સેવાના કાર્યો કરતા જ રહે છે. આવી જ રીતે સેવા કરતા રહે એવી લોકોએ આશા વ્‍યક્‍ત કરી છે.

Related posts

હિંમતનગર ફુડ વિભાગની નામ માત્રની કામગીરી શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાંથી શંકાસ્‍પદ સેમ્‍પલ મેળવવામાં આવ્‍યા

vartmanpravah

ગણદેવીના કેસલી ગામથી પસાર થતી કેનાલમાં ઠેર-ઠેર તિરાડો પડતાં તકલાદી કામોની ખુલેલી પોલ

vartmanpravah

દમણની પોલિકેબ કંપનીએ પ્રશાસનની સાથે મળીને ઘ્‍લ્‍ય્‍ અંતર્ગત પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

તાજેતરમાં વલસાડમાં આવેલ પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ, દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

vartmanpravah

Leave a Comment