January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી જી.આઈ.ડી.સી. ફેઈઝ-2 બિલખાડી ઉપર બની રહેલ પુલની કામગીરીના વિલંબને લઈ હાડમારી

3.42 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ ટુ-લાઈન પુલની દોઢ વર્ષથી કામગીરી ચાલે છે પણ હજુ પરિણામ ઠેર ના ઠેર
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઈઝ વિસ્‍તાર વાપી પેપર મિલથી થર્ડ ફેઈઝ જતા રોડ ઉપર ગાયત્રી પેપર મિલ પાસેથી વહેતી બિલખાડી ઉપર તંત્ર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી પુલ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી રોડ બંધ રાખવામાં આવ્‍યો છે. પરિણામે અનેક કોમર્શિયલ વાહનોને થર્ડ ફેઈઝ મેઈન રોડનો મોટો ચકરાવો બાદ માટી નિયત સ્‍થળે પહોંચાડવું પડે છે. પરિણામે સેંકડો વાહન ચાલકો અને અવર-જવર કરતા લોકો દોઢ વર્ષથી આ સમસ્‍યાનો ભોગ બની રહ્યા છે.
વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઈઝમાં હુબર કંપનીથી આગળ જતા રોડ ઉપર બિલખાડી પસાર થાય છે. પહેલા અહીં સિંગલ પુલ હતો તેથી ટ્રાફીકની સમસ્‍યા રહેતી હતી. તેથી તે પુલ પાડીને જી.આઈ.ડી.સી. દ્વારા 3.42 કરોડના ખર્ચે નવિન બે લાઈનનો પુલ બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. દોઢ-એક વર્ષથી ચાલતી કામગીરીને લઈને આ વિસ્‍તારની કનેક્‍ટીવીટી તૂટી પડી છે. હજુ સુધી પુલનો એક પિલ્લર પણ બનાવાયો નથી. બન્ને તરફ આવેલ કંપનીઓને પાર્કીંગ માટે રોડ વપરાશ થઈ રહ્યો છે. પરંતુ કોમર્શિયલ વાહનોને થર્ડ-ફેઈઝ વિસ્‍તાર પહોંચવું હોય તો લાંબો બે થી ત્રણ કિ.મી.નો ચક્કર કાપવો પડે છે. અધિકારીઓ ઢીલી કામગીરી ને કોરોનાની બીજી લહેર અને ચોમાસા જેવી સ્‍થિતિ હોવાથી કામગીરી ધીમી પડી છે તેવું જણાવી રહ્યો છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે રજૂ કરેલી પ્રદેશના વિકાસની ગાથા- પ્રધાનમંત્રીના આશીર્વાદ અને ગૃહમંત્રીની પહેલથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની થઈ રહેલી સતત કાયાપલટ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્‍યમંત્રી હેમંત બિશ્વા સરમાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સુરતમાં યોજાયેલી ઈન્‍ડિયાસ ટોપ મોડલ સીઝન 3 માં વલસાડની સોનાલી સિંગᅠપ્રથમ નંબરે વિજેતાᅠ

vartmanpravah

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

vartmanpravah

આજે થશે ફાઈનલ મુકાબલો: સંઘપ્રદેશ સ્‍તરીય પ્રિ-મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીનો દબદબો

vartmanpravah

દીવ ખાતે સિંહના ટોળા દેખાતા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા ડાંગરવાડી ખાતે ત્રણ પાંજરા મુકાયા

vartmanpravah

Leave a Comment