Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તુંબના નાભ પેટ્રોલ પંપ પરપાણીના મિશ્રણ વાળું પેટ્રોલ ભરાતા વાહનો ખોટકાયા

બંધ પડેલા વાહનના ચાલકોએ પેટ્રોલ પંપ પર ધસી આવી કરેલી ઉગ્ર રજૂઆતને માન્‍ય રાખતા પંપના માલિકે વાહનોને થયેલું નુકસાન ભરપાઈ કરવાની આપવી પડેલી બાહેંધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના ભિલાડ-સંજાણ રોડ ઉપર કાર્યરત નાભ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવનાર વાહનો બંધ પડી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાહનોની બંધ પડી જવાની લાગેલી કતારે ચાલકોએ પેટ્રોલ પંપ પર ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થયું છે કે નહીં એની ખરાઈ માટે બોટલમાં પેટ્રોલ ભરી ચેક કરવામાં પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થયું હોવાનું પુરવાર થવા પામ્‍યું હતું. આ ઘટના વધુ ઉગ્ર સ્‍વરૂપ ધારણ ન કરે એના માટે પેટ્રોલ પંપના માલિકે વાહન ચાલકોને નુકસાનીની ભરપાઈ કરવાની બાહેંધરી આપવી પડી હતી. પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થવાની ઘટના વાહન ચાલકો માટે આફતરૂપ સાબિત થવા પામી હતી. આ ઘટનામાં તંત્રએ તપાસ હાથ ધરવાની જરૂરિયાત જણાઈ રહી છે. પેટ્રોલમાં પાણીનું મિશ્રણ કેવી રીતે થવા પામ્‍યું એનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Related posts

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

vartmanpravah

નાનાપોંઢા મહેતા ટયુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

vartmanpravah

દીવના કલેક્‍ટર ભાનુ પ્રભા અને એસ.પી. પદે પિયુષ ફૂલઝેલેએ સંભાળી લીધેલો અખત્‍યાર

vartmanpravah

વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનના પાછળના ભાગમાં આગ લાગી : મુદ્દામાલ તરીકે રાખેલ બે બાઈક બળીને ખાખ

vartmanpravah

વાપી તાલુકામાં શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.આર.ચૌહાણે ૮૩ બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો

vartmanpravah

રમઝાન ઈદ અને રામ નવમીના તહેવારની શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પારડી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment