April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તુંબના નાભ પેટ્રોલ પંપ પરપાણીના મિશ્રણ વાળું પેટ્રોલ ભરાતા વાહનો ખોટકાયા

બંધ પડેલા વાહનના ચાલકોએ પેટ્રોલ પંપ પર ધસી આવી કરેલી ઉગ્ર રજૂઆતને માન્‍ય રાખતા પંપના માલિકે વાહનોને થયેલું નુકસાન ભરપાઈ કરવાની આપવી પડેલી બાહેંધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના ભિલાડ-સંજાણ રોડ ઉપર કાર્યરત નાભ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવનાર વાહનો બંધ પડી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાહનોની બંધ પડી જવાની લાગેલી કતારે ચાલકોએ પેટ્રોલ પંપ પર ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થયું છે કે નહીં એની ખરાઈ માટે બોટલમાં પેટ્રોલ ભરી ચેક કરવામાં પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થયું હોવાનું પુરવાર થવા પામ્‍યું હતું. આ ઘટના વધુ ઉગ્ર સ્‍વરૂપ ધારણ ન કરે એના માટે પેટ્રોલ પંપના માલિકે વાહન ચાલકોને નુકસાનીની ભરપાઈ કરવાની બાહેંધરી આપવી પડી હતી. પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થવાની ઘટના વાહન ચાલકો માટે આફતરૂપ સાબિત થવા પામી હતી. આ ઘટનામાં તંત્રએ તપાસ હાથ ધરવાની જરૂરિયાત જણાઈ રહી છે. પેટ્રોલમાં પાણીનું મિશ્રણ કેવી રીતે થવા પામ્‍યું એનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Related posts

સુરત-વેસુ-ફોનિક્ષટાવર-વિજયરામચન્‍દ્રસૂરિ આરાધનાભવને જૈનાચાર્યશ્રી વિજયમુક્‍તિપ્રભસૂરિજીનો જૈન સંઘને ચાતુર્માસના અંતિમ દિને અંતિમ સંદેશ

vartmanpravah

વાપી તાલુકામાં શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.આર.ચૌહાણે ૮૩ બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો

vartmanpravah

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

છેલ્લા ઍકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી ઍલસીબી પોલીસ

vartmanpravah

આજે સેલવાસથી કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી અભિયાન’નો આરંભ કરાવશે

vartmanpravah

વાપી બલીઠાના નવા સર્વિસ રોડ ઉપર પાર્ક થતા વાહનોની પોલીસે હવા કાઢી નાખ્‍યા બાદ પણ સ્‍થિતિ જૈસે થે

vartmanpravah

Leave a Comment