October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તુંબના નાભ પેટ્રોલ પંપ પરપાણીના મિશ્રણ વાળું પેટ્રોલ ભરાતા વાહનો ખોટકાયા

બંધ પડેલા વાહનના ચાલકોએ પેટ્રોલ પંપ પર ધસી આવી કરેલી ઉગ્ર રજૂઆતને માન્‍ય રાખતા પંપના માલિકે વાહનોને થયેલું નુકસાન ભરપાઈ કરવાની આપવી પડેલી બાહેંધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના ભિલાડ-સંજાણ રોડ ઉપર કાર્યરત નાભ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવનાર વાહનો બંધ પડી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાહનોની બંધ પડી જવાની લાગેલી કતારે ચાલકોએ પેટ્રોલ પંપ પર ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થયું છે કે નહીં એની ખરાઈ માટે બોટલમાં પેટ્રોલ ભરી ચેક કરવામાં પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થયું હોવાનું પુરવાર થવા પામ્‍યું હતું. આ ઘટના વધુ ઉગ્ર સ્‍વરૂપ ધારણ ન કરે એના માટે પેટ્રોલ પંપના માલિકે વાહન ચાલકોને નુકસાનીની ભરપાઈ કરવાની બાહેંધરી આપવી પડી હતી. પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થવાની ઘટના વાહન ચાલકો માટે આફતરૂપ સાબિત થવા પામી હતી. આ ઘટનામાં તંત્રએ તપાસ હાથ ધરવાની જરૂરિયાત જણાઈ રહી છે. પેટ્રોલમાં પાણીનું મિશ્રણ કેવી રીતે થવા પામ્‍યું એનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Related posts

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

vartmanpravah

સ્‍વ. ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ ગુટકા અને કુમુદબેન હિતેશ ગુટકા તરફથી વિરારથી વાપીના 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે નિઃશુલ્‍ક / નિસ્‍વાર્થ ભાવે મુંબઈથી લોનાવાલા એક દિવસીય યાત્રા પ્રવાસનું કરાયેલું આયોજન

vartmanpravah

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

ખેરડી પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah

Leave a Comment