(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.27: ચીખલી તાલુકાના સાદડવેલ ગામના કુંભાર ફળીયા ખાતે રહેતા મહેશભાઈ મગનભાઈ પટેલના શેરડીના ખેતરમાં બુધવારની સવારના સમયે શેરડીની કાપણી ચાલી રહી હતી. દરમ્યાન એક દીપડો મૃત હાલતમાં મળી આવતા જે અંગેની જાણ વનવિભાગને કરતા દીપડાનો કબ્જો લઈ પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી સાદકપોર નર્સરી ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યોહતો.
જોકે મૃત મળી આવેલ દીપડો નર કે માદા હતી. અને મરણ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. પરંતુ આ દીપડો 10 થી 15 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે વનવિભાગની તપાસ બાદ જ હકીકત બહાર આવશે.