Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

અંબામાતા મંદિર પ્રાંગણમાં શ્રાવણ માસ શિવપૂજા સાથે બહેનોએ વિશ્વકલ્‍યાણની આરાધના-પૂજા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી હરિયા પાર્કમાં આવેલ અંબામાતા મંદિર પ્રાંગણમાં આજે મંગળવારે પવિત્ર શ્રાવણ માસ ઉપલક્ષમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરવામાં આવી હતી. બહેનોએ રાજ્‍યમાં ફેલાયેલ લંપી વાયરસ નાબુદ થાય, ઘર ઘર તિરંગો લહેરાય, કલ્‍યાણ કારી શિવ સૌનું કલ્‍યાણ કરે તેવી પૂજા અર્ચના-આરાધના કરી હતી.
શ્રાવણ માસમાં મહાદેવજીની પૂજાનું અનેરૂ મહત્ત્વ છે. તેમાં પણ પૂત્રદા એકાદશીએ બહેનો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે તેથી આ શુભ દિવસ ધ્‍યાને રાખી બહેનો દ્વારા હરિયા પાર્ક અંબામાતા મંદિર પ્રાંગણમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કથાકાર ધરમભાઈ જોષીએ જણાવ્‍યું હતું કે, જેમ કોરોનાના સમયે હરિયા પાર્કના લોકો પારિવારિક ભાવના સાથે હળી મળી એકબીજાને મદદરૂપ થયા હતા તેવી જ રીતે આઝાદીના અમૃત મહોત્‍સવમાં આપણા દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને ઘરે ઘરે લહેરાવીશુ. લંપી વાયરસમાં મૃત્‍યુ પામેલ ગૌમાતાના આત્‍માઓને મહાદેવ શાંતિ અર્પણ કરે, પૂજાની વિશેષતાએ હતી કે બહેનોએ હાથમાં ધ્‍વજ રાખી શિવલીંગની પૂજા કરી હતી.

Related posts

કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્‍યુટી સરપંચ સત્તારૂઢ થયાં

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

vartmanpravah

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

વલસાડ આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસ ઉજવાયો, ધરમપુર-કપરાડાના ૧૨ પુરૂષની નસબંધી કરાઈ

vartmanpravah

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

vartmanpravah

Leave a Comment