August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

અંબામાતા મંદિર પ્રાંગણમાં શ્રાવણ માસ શિવપૂજા સાથે બહેનોએ વિશ્વકલ્‍યાણની આરાધના-પૂજા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી હરિયા પાર્કમાં આવેલ અંબામાતા મંદિર પ્રાંગણમાં આજે મંગળવારે પવિત્ર શ્રાવણ માસ ઉપલક્ષમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરવામાં આવી હતી. બહેનોએ રાજ્‍યમાં ફેલાયેલ લંપી વાયરસ નાબુદ થાય, ઘર ઘર તિરંગો લહેરાય, કલ્‍યાણ કારી શિવ સૌનું કલ્‍યાણ કરે તેવી પૂજા અર્ચના-આરાધના કરી હતી.
શ્રાવણ માસમાં મહાદેવજીની પૂજાનું અનેરૂ મહત્ત્વ છે. તેમાં પણ પૂત્રદા એકાદશીએ બહેનો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે તેથી આ શુભ દિવસ ધ્‍યાને રાખી બહેનો દ્વારા હરિયા પાર્ક અંબામાતા મંદિર પ્રાંગણમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કથાકાર ધરમભાઈ જોષીએ જણાવ્‍યું હતું કે, જેમ કોરોનાના સમયે હરિયા પાર્કના લોકો પારિવારિક ભાવના સાથે હળી મળી એકબીજાને મદદરૂપ થયા હતા તેવી જ રીતે આઝાદીના અમૃત મહોત્‍સવમાં આપણા દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને ઘરે ઘરે લહેરાવીશુ. લંપી વાયરસમાં મૃત્‍યુ પામેલ ગૌમાતાના આત્‍માઓને મહાદેવ શાંતિ અર્પણ કરે, પૂજાની વિશેષતાએ હતી કે બહેનોએ હાથમાં ધ્‍વજ રાખી શિવલીંગની પૂજા કરી હતી.

Related posts

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ ગુંદલાવ જીઆઈડીસીની કંપનીમાં દશમી વાર ચોરીનો બનાવ બન્‍યો

vartmanpravah

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

vartmanpravah

Leave a Comment