March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

અંબામાતા મંદિર પ્રાંગણમાં શ્રાવણ માસ શિવપૂજા સાથે બહેનોએ વિશ્વકલ્‍યાણની આરાધના-પૂજા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી હરિયા પાર્કમાં આવેલ અંબામાતા મંદિર પ્રાંગણમાં આજે મંગળવારે પવિત્ર શ્રાવણ માસ ઉપલક્ષમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરવામાં આવી હતી. બહેનોએ રાજ્‍યમાં ફેલાયેલ લંપી વાયરસ નાબુદ થાય, ઘર ઘર તિરંગો લહેરાય, કલ્‍યાણ કારી શિવ સૌનું કલ્‍યાણ કરે તેવી પૂજા અર્ચના-આરાધના કરી હતી.
શ્રાવણ માસમાં મહાદેવજીની પૂજાનું અનેરૂ મહત્ત્વ છે. તેમાં પણ પૂત્રદા એકાદશીએ બહેનો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે તેથી આ શુભ દિવસ ધ્‍યાને રાખી બહેનો દ્વારા હરિયા પાર્ક અંબામાતા મંદિર પ્રાંગણમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કથાકાર ધરમભાઈ જોષીએ જણાવ્‍યું હતું કે, જેમ કોરોનાના સમયે હરિયા પાર્કના લોકો પારિવારિક ભાવના સાથે હળી મળી એકબીજાને મદદરૂપ થયા હતા તેવી જ રીતે આઝાદીના અમૃત મહોત્‍સવમાં આપણા દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને ઘરે ઘરે લહેરાવીશુ. લંપી વાયરસમાં મૃત્‍યુ પામેલ ગૌમાતાના આત્‍માઓને મહાદેવ શાંતિ અર્પણ કરે, પૂજાની વિશેષતાએ હતી કે બહેનોએ હાથમાં ધ્‍વજ રાખી શિવલીંગની પૂજા કરી હતી.

Related posts

નવસારી જિલ્લાના 5 આદિવાસી ગામોમાં 100 ટકા કોરોના વેક્‍સિનેશન કામગીરી કરી આદિવાસીઓમાં ઓછા રસીકરણનું મેણું ભાંગ્‍યું

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડમાં શ્રી કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ તથા અન્‍ય રાજ્‍યપાલો સાથે ઉપરાષ્‍ટ્રપતિ ભવન ખાતે હાઈ ટી દરમિયાન વિવિધ મુદ્દાઓ ઉપર કરેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

ધરમપુર નગરીયા વિસ્‍તાર રોડના ખાડા પુરવા આવેલ પાલિકાના ટ્રેક્‍ટર અને જેસીબી પણ ખાડામાં

vartmanpravah

અથાલ નજીક ટેન્‍કર સાથે ટ્રક અથડાતા રસ્‍તા પર ઓઇલ ઢોળાતા સર્જાયેલો ટ્રાફિક જામ

vartmanpravah

Leave a Comment