Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે ગોરમાવડી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન શ્રી વણાકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત ગઈકાલે ગોરમાવડીને શાકભાજી માર્કેટ વણાકબારા ખાતે નવ ગોરમાવડીને લાવવામાં આવ્‍યા અને લોકોએ આસ્‍થા સાથે માતાજીને હિંડોળે હિચાકાવી આશીર્વાદ લીધા હતા, આજે ગોરમાવડીની ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. વણાકબારા આઝાદ ચોક ખાતે નવ માતાજીને વાજતે ગાજતે લાવવામાં આવ્‍યા આ નવ માતાજીઓ? એકઠા થયા બાદ આઝાદ ચોકથી તેઓ વણાકબારા મુખ્‍ય માર્ગ પર થઈને જે કુવામાં માતાજીનુ વિસર્જન કરવાનું છે ત્‍યાં લઈ જવામા આવ્‍યા ત્‍યાં માતાજીને વિધિવત પુજા-અર્ચના કરી માતાજીના ગરબા રમી અને કુવામાં વિસર્જન કર્યું હતું. આ રીતે બે દિવસીય ગોરમાવડી મહોત્‍સવનું આજરોજ સમાપન થયું હતું. આ રીતે લોકે શ્રદ્ધા અને આસ્‍થા સાથે ગોરમાવડી મહોત્‍સવની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગોરમાવડી મહોત્‍સવમાં દીવ સહિત ગુજરાત, મહારાષ્‍ટ્ર વગેરેના ભાવિ ભક્‍તો જોડાય છે. ખાસ કરીને વણાકબારામાં ગોરમાવડી ઉત્‍સવ માછીમારો દ્વારા ઉજવવામાં આવે છે.

Related posts

સલવાવ બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધી પ્રાપ્ત કરી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લાના દરિયાઈ વિસ્‍તારમાં સૌરાષ્‍ટ્રના માછીમારો કબજો જમાવી દેવાતા માછીમારોએ આપેલું આવેદન

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

Leave a Comment