April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે ગોરમાવડી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન શ્રી વણાકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત ગઈકાલે ગોરમાવડીને શાકભાજી માર્કેટ વણાકબારા ખાતે નવ ગોરમાવડીને લાવવામાં આવ્‍યા અને લોકોએ આસ્‍થા સાથે માતાજીને હિંડોળે હિચાકાવી આશીર્વાદ લીધા હતા, આજે ગોરમાવડીની ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. વણાકબારા આઝાદ ચોક ખાતે નવ માતાજીને વાજતે ગાજતે લાવવામાં આવ્‍યા આ નવ માતાજીઓ? એકઠા થયા બાદ આઝાદ ચોકથી તેઓ વણાકબારા મુખ્‍ય માર્ગ પર થઈને જે કુવામાં માતાજીનુ વિસર્જન કરવાનું છે ત્‍યાં લઈ જવામા આવ્‍યા ત્‍યાં માતાજીને વિધિવત પુજા-અર્ચના કરી માતાજીના ગરબા રમી અને કુવામાં વિસર્જન કર્યું હતું. આ રીતે બે દિવસીય ગોરમાવડી મહોત્‍સવનું આજરોજ સમાપન થયું હતું. આ રીતે લોકે શ્રદ્ધા અને આસ્‍થા સાથે ગોરમાવડી મહોત્‍સવની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગોરમાવડી મહોત્‍સવમાં દીવ સહિત ગુજરાત, મહારાષ્‍ટ્ર વગેરેના ભાવિ ભક્‍તો જોડાય છે. ખાસ કરીને વણાકબારામાં ગોરમાવડી ઉત્‍સવ માછીમારો દ્વારા ઉજવવામાં આવે છે.

Related posts

ચીખલી પંથકમાં રખડતા ઢોરોનો દિવસને દિવસે વધી રહેલો ત્રાસઃ તંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

મોટી દમણ વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓને કોવિડ-19ની રસીનો ડોઝ અપાયો

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

પારડીની શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું કોવિડ-19નું રસીકરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

vartmanpravah

Leave a Comment