March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે ગોરમાવડી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન શ્રી વણાકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત ગઈકાલે ગોરમાવડીને શાકભાજી માર્કેટ વણાકબારા ખાતે નવ ગોરમાવડીને લાવવામાં આવ્‍યા અને લોકોએ આસ્‍થા સાથે માતાજીને હિંડોળે હિચાકાવી આશીર્વાદ લીધા હતા, આજે ગોરમાવડીની ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. વણાકબારા આઝાદ ચોક ખાતે નવ માતાજીને વાજતે ગાજતે લાવવામાં આવ્‍યા આ નવ માતાજીઓ? એકઠા થયા બાદ આઝાદ ચોકથી તેઓ વણાકબારા મુખ્‍ય માર્ગ પર થઈને જે કુવામાં માતાજીનુ વિસર્જન કરવાનું છે ત્‍યાં લઈ જવામા આવ્‍યા ત્‍યાં માતાજીને વિધિવત પુજા-અર્ચના કરી માતાજીના ગરબા રમી અને કુવામાં વિસર્જન કર્યું હતું. આ રીતે બે દિવસીય ગોરમાવડી મહોત્‍સવનું આજરોજ સમાપન થયું હતું. આ રીતે લોકે શ્રદ્ધા અને આસ્‍થા સાથે ગોરમાવડી મહોત્‍સવની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગોરમાવડી મહોત્‍સવમાં દીવ સહિત ગુજરાત, મહારાષ્‍ટ્ર વગેરેના ભાવિ ભક્‍તો જોડાય છે. ખાસ કરીને વણાકબારામાં ગોરમાવડી ઉત્‍સવ માછીમારો દ્વારા ઉજવવામાં આવે છે.

Related posts

દાનહ ટુરીઝમ વિભાગ દ્વારા દૂધની સરકારી શાળામાં વારલી પેઈન્‍ટિંગ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

નાની દમણના દેવકા રોડ ખાતે દામિની વૂમન ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ જૂના કુવાને રિચાર્જ કરી પ્રાકૃતિક જળષાોતના રૂપે ફરી સ્‍થાપિત કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની મુદત વધારાઈ

vartmanpravah

ભારતનું ભવિષ્‍ય યુવાનો મજબૂત બને ના ઉમદા આશ્રયથી માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર અને રેસ પારડી દ્વારા દ્વિતીય ‘‘રન પારડી રન” યોજાઈ

vartmanpravah

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી રૂા. 13.પ1 લાખનો દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment