December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત પ્રભારી અને સહ પ્રભારીએ સેલવાસ ન.પા. પાલિકા પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે યોજેલી કાર્યશાળા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્‍યંત પટેલની અધ્‍યક્ષતામાં આજે સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સેલવાસ તથા દમણ અને દીવ નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે પ્રદેશ ભાજપ શ્રી પ્રમુખ દીપેશ ટંડેલ, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ, પ્રશિક્ષક સંયોજક ડૉ. નરેન્‍દ્ર દેવરે સહિત સંઘપ્રદેશની સેલવાસ, દમણ અને દીવ એમ ત્રણેય નગરપાલિકાના પ્રમુખો, ઉપ પ્રમુખો તથા કાઉન્‍સિલરો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્‍દ્રિય ભાજપ પ્રશિક્ષક શ્રી રવિન્‍દ્ર સાઠેએ સેલવાલ, દમણ અને દીવ નગરપાલિકાના પ્રમુખો, ઉપ પ્રમુખો તથા કાઉન્‍સિલરોને તાલીમઆપી હતી. જેમા દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં નેતૃત્‍વમાં ભારતીય જનતા પાર્ટીના મુળ સિદ્ધાંતો, નીતિ તથા ઉદ્દેશ્‍યની સાથે જનહિતમાં સંચાલિત વિવિધ યોજનાઓની જાણકારી જનજન સુધી કેવી રીતે પહોંચાડવી તે બાબતે સઘન તાલીમ આપવામાં આવી હતી.
પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદીએ પણ સંઘપ્રદેશની ત્રણેય નગરપાલિકાના પ્રમુખો, ઉપ્રમુખો અને કાઉન્‍સિલરો સાથે ચર્ચા કરતા જણાવ્‍યું કે ભારતીય જનતા પાર્ટીના દરેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દેશભક્‍તિ અને સમર્પિત ભાવથી દેશ માટે ખંતથી કામ કરે અને કેન્‍દ્ર અને રાજ્‍ય વિકાસ યોજનાઓને સમાજના અંતિમ વ્‍યક્‍તિ સુધી પહોંચાડવામાં પોતાનું વધુમાં વધુ યોગદાન આપે. તેથી દરેક હોદ્દેદારો, પદાધિકારીઓ આગળ આવે અને પાર્ટી તથા દેશહિતના કામમાં સહભાગિતા નિભાવે.

Related posts

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

સોનિયા ગાંધીને ઈ.ડી.એ નોટીસ આપી અમદાવાદ બોલાવ્‍યાના વિરોધમાં: વલસાડ જિલ્લા કોંગ્રેસનું વિરોધ-ધરણાં પ્રદર્શન પોલીસ દ્વારા અટકાવાયું : કાર્યકરો ડિટેઈન કરાયા

vartmanpravah

ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન

vartmanpravah

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ અરૂણ ટી.એ કચીગામ ખાતે સર્વેક્ષણ કામગીરીનું સ્‍થળ ઉપર જઈ કરેલું નિરીક્ષણ: ગામલોકો સાથે વાતચીત કરી સર્વેક્ષણનું સમજાવેલું મહત્‍વ

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment