August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત પ્રભારી અને સહ પ્રભારીએ સેલવાસ ન.પા. પાલિકા પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે યોજેલી કાર્યશાળા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્‍યંત પટેલની અધ્‍યક્ષતામાં આજે સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સેલવાસ તથા દમણ અને દીવ નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે પ્રદેશ ભાજપ શ્રી પ્રમુખ દીપેશ ટંડેલ, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ, પ્રશિક્ષક સંયોજક ડૉ. નરેન્‍દ્ર દેવરે સહિત સંઘપ્રદેશની સેલવાસ, દમણ અને દીવ એમ ત્રણેય નગરપાલિકાના પ્રમુખો, ઉપ પ્રમુખો તથા કાઉન્‍સિલરો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્‍દ્રિય ભાજપ પ્રશિક્ષક શ્રી રવિન્‍દ્ર સાઠેએ સેલવાલ, દમણ અને દીવ નગરપાલિકાના પ્રમુખો, ઉપ પ્રમુખો તથા કાઉન્‍સિલરોને તાલીમઆપી હતી. જેમા દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં નેતૃત્‍વમાં ભારતીય જનતા પાર્ટીના મુળ સિદ્ધાંતો, નીતિ તથા ઉદ્દેશ્‍યની સાથે જનહિતમાં સંચાલિત વિવિધ યોજનાઓની જાણકારી જનજન સુધી કેવી રીતે પહોંચાડવી તે બાબતે સઘન તાલીમ આપવામાં આવી હતી.
પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદીએ પણ સંઘપ્રદેશની ત્રણેય નગરપાલિકાના પ્રમુખો, ઉપ્રમુખો અને કાઉન્‍સિલરો સાથે ચર્ચા કરતા જણાવ્‍યું કે ભારતીય જનતા પાર્ટીના દરેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દેશભક્‍તિ અને સમર્પિત ભાવથી દેશ માટે ખંતથી કામ કરે અને કેન્‍દ્ર અને રાજ્‍ય વિકાસ યોજનાઓને સમાજના અંતિમ વ્‍યક્‍તિ સુધી પહોંચાડવામાં પોતાનું વધુમાં વધુ યોગદાન આપે. તેથી દરેક હોદ્દેદારો, પદાધિકારીઓ આગળ આવે અને પાર્ટી તથા દેશહિતના કામમાં સહભાગિતા નિભાવે.

Related posts

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં શિક્ષક દિનની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

vartmanpravah

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિરૂદ્ધ અભદ્ર ટિપ્‍પણી કરવાવાળા કોંગ્રેસ પ્રવક્‍તા પવન ખેડા વિરૂદ્ધ દમણ જિ.પં. સભ્‍ય રીના પટેલે દમણ પોલીસને કરેલી ફરિયાદ

vartmanpravah

ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્‍સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી

vartmanpravah

સલવાવ બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધી પ્રાપ્ત કરી

vartmanpravah

Leave a Comment