September 3, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહમાં ૦૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ દમણમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૬
દાદરા નગર હવેલીમાં નવા ૦૬ કોરોના પાઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા ૩૧ સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં ૫૮૧૯ કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના ૨૩૭ નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી ૦૫ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ ઍન્ટિજન ૧૪૫૦ નમૂના લેવામા આવેલ જેમાંથી ૦૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યા ટોટલ ૦૬ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પ્રદેશમા ૦૫ કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત વિવિધ સોસાયટીમા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યું હતું. જેમાં આજે ૬૮૫૨ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમા કુલ ૨૪૮૦૬૨ લોકોને વેક્સીન આપવામા આવી છે.
જયારે દમણની વાત કરીઍ તો દમણમાં આજરોજ ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાય નથી. દમણમાં આજરોજ ૫૪૪ કોરોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો ન હતો. ૦ર વ્યક્તિ સાજા થતા આજરોજ રજા આપવામાં આવી હતી. હાલમાં પ્રદેશમાં કુલ ૭ કોરોના પોઝિટિવ સક્યિર છે જ્યારે અત્યાર સુધીમાં ઍકનું મોત થયેલ છે. જ્યારે ૩૪૭૨ જેટલા દર્દીઅો રિકવર થયા છે.
આજરોજ ઍક પણ કન્ટઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો નથી. હાલમાં પ્રદેશમાં કુલ પાંચ કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર છે. જેમાં ભીમપોર-૦૧, દલવાડામાં-૦૧ દેવકામાં-૦ર અને નાની દમણ નગર પાલિકા વિસ્તારમાં ૦૧ ઝોન જાહેર છે.

Related posts

દાનહની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા સુશાસન દિવસ અંતર્ગત અટલ બિહારી વાજપેયીજીના વિષયમાં મોડર્ન સ્‍કૂલમાં વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

vartmanpravah

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment