April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

શ્રીનાથ જોષી (આઈપીએસ) પોલીસ ઓબ્ઝર્વર અને સંજય કુમાર (આઈઆરએસ) ખર્ચ ઓબ્ઝર્વર

ઉમેદવારો અને સામાન્ય જનતા સંબંધિત ઓબ્ઝર્વરને ચૂંટણી સંબંધી ફરિયાદો માટે સંપર્ક કરી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને અનુલક્ષીને ગુજરાતમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે ૨૬-વલસાડ (અ.જ.જા) સંસદીય મતવિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા યોજાય એ હેતુથી અને આદર્શ આચારસંહિતાના ચુસ્તપણે અમલીકરણ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત શ્રી તરણ પ્રકાશ સિંહા (આઈએએસ) – ૮૨૦૦૯૨૮૨૫૫ ની જનરલ ઓબ્ઝર્વર, શ્રી શ્રીનાથ મહાદેવ જોષી (આઈપીએસ) – ૮૨૦૦૯૯૮૩૯૫ ની પોલીસ અબ્ઝર્વર અને શ્રી સંજય કુમાર (આઈઆરએસ) – ૮૨૦૦૯૩૪૫૮૫ ની ખર્ચ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ૨૬ – વલસાડ (અ.જ.જા) મતવિસ્તારમાં કોઈપણ ઉમેદવાર કે સામાન્ય જનતા ચૂંટણી સંબંધી કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે સંબંધિત ઓબ્ઝર્વરોનો જણાવેલ મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરી શકે છે.
ચૂંટણી સંબંધી ફરિયાદો માટે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૨૪ x ૭ ફરિયાદ સેલ ખાતે નાગરિકો/મતદારો માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૦૬૦૧ તથા લેન્ડ લાઈન નં. ૦૨૬૩૨ – ૨૪૦૦૧૪ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. સામાન્ય સંજોગોમાં સંબંધિત ઓબ્ઝર્વરશ્રી પૂર્વ નિર્ધારિત મુલાકાત અન્વયે સર્કિટ હાઉસ તિથલ ખાતે સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા દરમિયાન મળશે.

Related posts

શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી દાનહના ઉજ્જવળ ભવિષ્‍યનો અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પદ્ધતિ ખેડૂતો માટે બની ફળદાયી: ધરમપુર તિસ્‍કરી તલાટના ખેડૂતે ડ્રેગન ફ્રુટની સાથે મરચાં અને ગલગોટાની ખેતી કરી મેળવ્‍યું વધુ ઉત્‍પાદન

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

vartmanpravah

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment