Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

શ્રીનાથ જોષી (આઈપીએસ) પોલીસ ઓબ્ઝર્વર અને સંજય કુમાર (આઈઆરએસ) ખર્ચ ઓબ્ઝર્વર

ઉમેદવારો અને સામાન્ય જનતા સંબંધિત ઓબ્ઝર્વરને ચૂંટણી સંબંધી ફરિયાદો માટે સંપર્ક કરી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને અનુલક્ષીને ગુજરાતમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે ૨૬-વલસાડ (અ.જ.જા) સંસદીય મતવિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા યોજાય એ હેતુથી અને આદર્શ આચારસંહિતાના ચુસ્તપણે અમલીકરણ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત શ્રી તરણ પ્રકાશ સિંહા (આઈએએસ) – ૮૨૦૦૯૨૮૨૫૫ ની જનરલ ઓબ્ઝર્વર, શ્રી શ્રીનાથ મહાદેવ જોષી (આઈપીએસ) – ૮૨૦૦૯૯૮૩૯૫ ની પોલીસ અબ્ઝર્વર અને શ્રી સંજય કુમાર (આઈઆરએસ) – ૮૨૦૦૯૩૪૫૮૫ ની ખર્ચ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ૨૬ – વલસાડ (અ.જ.જા) મતવિસ્તારમાં કોઈપણ ઉમેદવાર કે સામાન્ય જનતા ચૂંટણી સંબંધી કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે સંબંધિત ઓબ્ઝર્વરોનો જણાવેલ મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરી શકે છે.
ચૂંટણી સંબંધી ફરિયાદો માટે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૨૪ x ૭ ફરિયાદ સેલ ખાતે નાગરિકો/મતદારો માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૦૬૦૧ તથા લેન્ડ લાઈન નં. ૦૨૬૩૨ – ૨૪૦૦૧૪ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. સામાન્ય સંજોગોમાં સંબંધિત ઓબ્ઝર્વરશ્રી પૂર્વ નિર્ધારિત મુલાકાત અન્વયે સર્કિટ હાઉસ તિથલ ખાતે સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા દરમિયાન મળશે.

Related posts

ભાજપના નેતાઓએ ૪૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યું  હોવાનો કોંગ્રેસનો આરોપ 

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને યુ.પી.એલ.ના સંયુક્‍ત ઉપક્રમે બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્ટ LAKSHYA 2K23માં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના ઇનોવેશન હબની ટીમ રોબો રેસ સ્પર્ધામાં વિજેતા

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment