July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

શ્રીનાથ જોષી (આઈપીએસ) પોલીસ ઓબ્ઝર્વર અને સંજય કુમાર (આઈઆરએસ) ખર્ચ ઓબ્ઝર્વર

ઉમેદવારો અને સામાન્ય જનતા સંબંધિત ઓબ્ઝર્વરને ચૂંટણી સંબંધી ફરિયાદો માટે સંપર્ક કરી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને અનુલક્ષીને ગુજરાતમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે ૨૬-વલસાડ (અ.જ.જા) સંસદીય મતવિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા યોજાય એ હેતુથી અને આદર્શ આચારસંહિતાના ચુસ્તપણે અમલીકરણ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત શ્રી તરણ પ્રકાશ સિંહા (આઈએએસ) – ૮૨૦૦૯૨૮૨૫૫ ની જનરલ ઓબ્ઝર્વર, શ્રી શ્રીનાથ મહાદેવ જોષી (આઈપીએસ) – ૮૨૦૦૯૯૮૩૯૫ ની પોલીસ અબ્ઝર્વર અને શ્રી સંજય કુમાર (આઈઆરએસ) – ૮૨૦૦૯૩૪૫૮૫ ની ખર્ચ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ૨૬ – વલસાડ (અ.જ.જા) મતવિસ્તારમાં કોઈપણ ઉમેદવાર કે સામાન્ય જનતા ચૂંટણી સંબંધી કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે સંબંધિત ઓબ્ઝર્વરોનો જણાવેલ મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરી શકે છે.
ચૂંટણી સંબંધી ફરિયાદો માટે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૨૪ x ૭ ફરિયાદ સેલ ખાતે નાગરિકો/મતદારો માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૦૬૦૧ તથા લેન્ડ લાઈન નં. ૦૨૬૩૨ – ૨૪૦૦૧૪ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. સામાન્ય સંજોગોમાં સંબંધિત ઓબ્ઝર્વરશ્રી પૂર્વ નિર્ધારિત મુલાકાત અન્વયે સર્કિટ હાઉસ તિથલ ખાતે સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા દરમિયાન મળશે.

Related posts

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

તડગામ ખાતે સરીગામ સીઇટીપી પાઇપલાઇનના મુદ્દે બોલાવેલી બેઠકમાં લેવાયેલા મહત્‍વના નિર્ણયો

vartmanpravah

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોની વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ હવે હાથવેંતમાં

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

2000 વિદ્યાર્થીનો વલસાડ રોટરી કલબે સર્વે કરી 63 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કર્યા

vartmanpravah

Leave a Comment