Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

વાહન ચાલકો એક તરફથી ઘૂસી તો ગયા પરંતુ નિકળવું કેમ?
પેચીદી સ્‍થિતિ ઉભી થઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: પશ્ચિમ  રેલવેનો સૌથી વ્‍યસ્‍ત ટ્રેન વ્‍યવહાર અમદાવાદ-મુંબઈ વચ્‍ચેનો છે. આ વિભાગમાં વાપી પણ આવી જાય છે. આજે મંગળવારે બલીઠા રેલવે ફાટક ઉપર વિચિત્ર ગંભીર સ્‍થિતિ ઉભી થવા પામી હતી. ટ્રેન પસાર થયા બાદ બીજી તરફનું ફાટક ખુલ્‍યુ નહીં તેથી અંધાધુંધી સર્જાઈ હતી.
વાપી ફાટક વાપીના લોકો માટે અત્‍યારેહાર્ટલાઈન સમાન છે. વાપી દમણ અવર જવર કરવા માટે બહુધા વાપી ફાટકનો ઉપયોગ વાહન ચાલકો કરી રહ્યા છે. આજે આ ફાટક ઉપર ગંભીર ટેકનિકલ સ્‍થિતિનું નિર્માણ થયું હતું. ટ્રેન પસાર થયા બાદ સાંધાવાળાએ ફાટક તો રાબેતા મુજબ ચાલુ કરી દીધું પરંતુ ફાટક ફક્‍ત પヘમિ તરફનું ખુલ્‍યું, પૂર્વ તરફનું ફાટક ખુલ્‍યું જ નહીં. પરિણામે સામે છેડેથી વાહનોએ એન્‍ટ્રી તો લઈ લીધી હવે નિકળવું કેવી રીતે? સામેનું ફાટક તો બંધ હતું. વાહન ચાલકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. કારમ કે આ ફાટકથી દર પાંચ થી સાત મિનિટમાં એક ટ્રેન પસાર થાય છે. પરિસ્‍થિતિ અતિ ગંભીર અને પેચીદી ઉભી થઈ હતી પરંતુ થોડાક સમય બાદ ટેકનિકલ ક્ષતિ દુરસ્‍ત કરવામાં આવતા સ્‍થિતિ થાળે પડી હતી.

Related posts

આજે વાપીની રોફેલ કોલેજમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાશે

vartmanpravah

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

વાપી કન્‍યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્ધાટન

vartmanpravah

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

ધરમપુર જાગીરી પંચાયતમાં તલાટી દ્વારા 2021માં જન્‍મ-મરણ નોંધણી ઓનલાઈન ન કરાતા ગ્રામજનો મુશ્‍કેલીમાં

vartmanpravah

Leave a Comment