કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણી પ્રચાર ધીરે ધીરે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. બે અઠવાડીયામાં ભાજપ-કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ વલસાડ જિલ્લા સંઘપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે પધારવાના છે. જેની શૃખલામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પક્ષ સચિવ શ્રીમતી પ્રયિંકા ગાંધીનું આવતીકાલે વલસાડ જિલ્લામાં આગમન થનાર છે. તેઓ ધરમપુરમાં જાહેર સભા સંબોધશે. જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધી રહ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો સીધો જંગ છે. બન્ને પક્ષો માટે વલસાડની બેઠક પ્રતિષ્ઠાની બેઠક છે. એટલા માટે કે વલસાડની બેઠક ઉપર જે પક્ષનો ઉમેદવાર જીતે એ પક્ષની કેન્દ્રમાં સરકારરચાય છે. આ પરંપરા આઝાદી સમયથી યથાવત ચાલી રહી છે અને સાચી પણ પડી રહી છે. પ્રિયંકા ગાંધી ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે અને કોંગ્રેસને જીતાડવાની હાંકલ પણ જાહેર મંચ ઉપરથી કરનાર છે.