December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે દીવઃ સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને કરાવાયો ગૃહ પ્રવેશ

દીવ જિલ્લા પંચાયતના ઈન્‍ચાર્જ અધ્‍યક્ષ લક્ષ્મીબેન મોહન તથા એ.ડી.એમ. વિવેક કુમાર સહિત અધિકારીઓ, જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચોની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17 : આજે દીવના સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગૃહ પ્રવેશની વિધિનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું બાંધકામ પૂર્ણ થતાં આજે દીવ જિલ્લા પંચાયતના ઈન્‍ચાર્જ પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન તેમજ એ.ડી.એમ.શ્રી વિવેક કુમાર, વિકાસ ઘટક અધિકારી શ્રી ધર્મેશ દમણિયા, પંચાયતના વિસ્‍તરણ અધિકારી શ્રી રાણેશ બારિયા તથા જિલ્લા પંચાયતના સભ્‍યો, 7 ગ્રામ પંચાયતોના સરપંચો, પંચાયતના સભ્‍યો વગેરેની હાજરીમાં રિબિન કાપી બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથે લાભાર્થીઓને આનંદ-ઉલ્લાસ સાથે ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. બ્રાહ્મણોની વ્‍યવસ્‍થા સમસ્‍ત વાડી વિસ્‍તાર સમાજના પ્રમુખ શ્રી શંકરભાઈ બારિયા દ્વારા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને સરકાર તરફથી રૂા.2,40,000ની રાશી મળી હતી. જેમાં લાભાર્થીઓએ પોતાના પૈસાનો ઉપયોગ કરી ખુબ જ સુંદર અને રળિયામણાં ઘરનું નિર્માણ કર્યું હતું. લાભાર્થીઓનું પોતાના ઘરનું સ્‍વપ્‍ન હકીકત બની સાકાર થતાં તમામ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દિલથી આભાર પ્રગટ કર્યો હતો.

Related posts

સ્‍પોર્ટ્‍સ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરની ટુર્નામેન્‍ટમાં દમણઃ દોરડાખેંચ સ્‍પર્ધાના પુરૂષ વિભાગમાં હેડ ઓફ સ્‍પોર્ટ્‍સ વિજેતાઃ ઉપ વિજેતા રહી અસ્‍પી ઈલેવન

vartmanpravah

દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારીઃ શુભકામના પાઠવી

vartmanpravah

દમણના કરાટે માસ્‍ટર ડો શિહાન અગમ ચોનકર, પત્‍ની કલ્‍પના ચોનકર અને દિકરી ઈશ્વરી ચોનકરનું જીનીયસ ઈન્‍ડિયન એચીવર એવોર્ડ-ર0રરથી સન્‍માન કરાયું

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્રથમ વર્ષ બી ફાર્મસી, એમ ફાર્મસીનો ઓરિયએન્‍ટેશન પોગ્રામ યોજાયો

vartmanpravah

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment