(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24
દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં યોજાયેલ સ્વચ્છતા સંકલ્પ કાર્યક્રમમાં દમણ-દીવનાસાંસદ શ્રી લાલુભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમના 5ાંચ વર્ષના કાર્યકાળમાં તેમની દૂરંદેશી વિચારસરણીને કારણે સંઘપ્રદેશને સુંદર બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનમાં એક નવું પરિમાણ ઉમેરતા લોકોની આદતો બદલવાનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
આ આંદોલન દ્વારા આપણે માત્ર સંઘપ્રદેશનો જ નહીં પરંતુ આપણા દેશનો ચહેરો બદલીશું. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતા જળવાઈ રહેશે તો આપણે પણ સ્વસ્થ રહીશું. આપણે આપણા સંઘ પ્રદેશને એટલું સ્વચ્છ બનાવવું પડશે કે પ્રવાસીઓ અહીં આવીને રોકાઈ શકે અને સ્થાનિક લોકોને રોજગારી મળી શકે. આ માટે આપણે આપણી આદતો બદલવાની જરૂર છે.