July 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24
દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં યોજાયેલ સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમમાં દમણ-દીવનાસાંસદ શ્રી લાલુભાઈ પટેલે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમના 5ાંચ વર્ષના કાર્યકાળમાં તેમની દૂરંદેશી વિચારસરણીને કારણે સંઘપ્રદેશને સુંદર બનાવ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, દેશભરમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શન હેઠળ સ્‍વચ્‍છતા અભિયાનમાં એક નવું પરિમાણ ઉમેરતા લોકોની આદતો બદલવાનું આંદોલન શરૂ કરવામાં આવ્‍યું છે.
આ આંદોલન દ્વારા આપણે માત્ર સંઘપ્રદેશનો જ નહીં પરંતુ આપણા દેશનો ચહેરો બદલીશું. તેમણે જણાવ્‍યું હતું કે, સ્‍વચ્‍છતા જળવાઈ રહેશે તો આપણે પણ સ્‍વસ્‍થ રહીશું. આપણે આપણા સંઘ પ્રદેશને એટલું સ્‍વચ્‍છ બનાવવું પડશે કે પ્રવાસીઓ અહીં આવીને રોકાઈ શકે અને સ્‍થાનિક લોકોને રોજગારી મળી શકે. આ માટે આપણે આપણી આદતો બદલવાની જરૂર છે.

Related posts

દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્‍ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

ઉમરગામ તાલુકા યુવા ભાજપા સંગઠનની મળેલી કારોબારી બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

vartmanpravah

સંદર્ભઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની ત્રી-દિવસીય સંઘપ્રદેશમુલાકાત દાનહ અને દમણ-દીવની દશા-દિશા બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

vartmanpravah

ધરમપુરના નગારીયામાં રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્‍તક પરબ ખુલ્લુ મુકાયું

vartmanpravah

Leave a Comment