April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
મહાકાલેશ્વર મિત્ર મંડળ સેલવાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેમાં મોટી સંખ્‍યામાં કાવડિયાઓએ ભાગ લીધો હતો. આ કાવડ યાત્રાને પ્રથમ આમલી રામજી મંદિરથી માજી સાંસદ શ્રી નટુભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ શ્રી અજયભાઇ દેસાઈ, શ્રી જીતુભાઇ માઢા સહિત સમાજના અગ્રણીઓ દ્વારા શિવજીની પૂજા કરી નારિયળ ફોડી યાત્રાની વિધિવત શરૂઆત કરવામા આવી હતી. આ અવસરે સમાજના અગ્રણીઓ અને અન્‍ય અતિથિઓએ કાવડ લઈ કાવડિયાઓ સાથે ચાલ્‍યા હતા. જેનાથી કાવડિયાઓનો ઉત્‍સાહ વધ્‍યો હતો અને બોલ બમના નારા સાથે કાવડ યાત્રા શરૂ થઇ હતી. આ કાવડ યાત્રા રામજી મંદિરથી શરૂ કરી બિન્‍દ્રાબિન મંદિરે જશે. જ્‍યાંથી પાણી ભરી પરત કવાડીયા લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમા જળાભિષેક કરશે.

Related posts

કેન્દ્રએ ‘ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે સમર્થન, 2022ના નિવારણ અંગે માર્ગદર્શિકા’ જારી કરી

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો ભવ્‍ય ફનફેરઃ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધેલો ઉત્‍સાહથી ભાગ

vartmanpravah

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપીમાં બાઈક સવાર બે ઈસમોએ રાહદારીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરારથયા

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

Leave a Comment