(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
મહાકાલેશ્વર મિત્ર મંડળ સેલવાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં કાવડિયાઓએ ભાગ લીધો હતો. આ કાવડ યાત્રાને પ્રથમ આમલી રામજી મંદિરથી માજી સાંસદ શ્રી નટુભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ શ્રી અજયભાઇ દેસાઈ, શ્રી જીતુભાઇ માઢા સહિત સમાજના અગ્રણીઓ દ્વારા શિવજીની પૂજા કરી નારિયળ ફોડી યાત્રાની વિધિવત શરૂઆત કરવામા આવી હતી. આ અવસરે સમાજના અગ્રણીઓ અને અન્ય અતિથિઓએ કાવડ લઈ કાવડિયાઓ સાથે ચાલ્યા હતા. જેનાથી કાવડિયાઓનો ઉત્સાહ વધ્યો હતો અને બોલ બમના નારા સાથે કાવડ યાત્રા શરૂ થઇ હતી. આ કાવડ યાત્રા રામજી મંદિરથી શરૂ કરી બિન્દ્રાબિન મંદિરે જશે. જ્યાંથી પાણી ભરી પરત કવાડીયા લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમા જળાભિષેક કરશે.