ચાર દિવસથી ચાલી રહેલી શિબિરમાં બાળકોને આધ્યાત્મિક જ્ઞાન અપાઈ રહ્યું છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વાપી ડુંગરામાં આવેલ આસારામ બાપુ આશ્રમમાં છેલ્લા ચાર દિવસથી બાળકો માટે સમર આધ્યાત્મિક શિબિર ચાલી રહી છે. જેમાં 500 ઉપરાંત બાળકો ભાગ લઈ રહ્યા છે.
પ્રતિ વર્ષની જેમ આવર્ષે પણ ડુંગરા આસારામ આશ્રમમાં બાળકો માટે આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તા.10મેથી 14મે સુધીની પાંચ દિવસીય શિબિરમાં વાપી, સેલવાસ, દમણ અને આજુબાજુથી 500 ઉપરાંત બાળકોએ શિબિરમાં ભાગ લીધો છે. નિયમિત શિબિરમાં પુનમબેન અને અનુરાધાબેન દ્વારા ભારતીય ઋષિ પરંપરા રામાયણ-મહાભારતના વિવિધ પ્રસંગો દ્વારા બાળકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન મુકેશભાઈ અને તેમની ટીમે સુપેરે પાર પાડયુ હતું. બાળકોને સાથે સાથે મનગમતી પ્રવૃત્તિ રમતોનું પણ શિબિરમાં આયોજન કરાયેલું હોવાથી બાળકો ખુશહાલીથી શિબિરમાં રસતરબોળ બન્યા હતા.