October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈ

ચાર દિવસથી ચાલી રહેલી શિબિરમાં બાળકોને આધ્‍યાત્‍મિક જ્ઞાન અપાઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી ડુંગરામાં આવેલ આસારામ બાપુ આશ્રમમાં છેલ્લા ચાર દિવસથી બાળકો માટે સમર આધ્‍યાત્‍મિક શિબિર ચાલી રહી છે. જેમાં 500 ઉપરાંત બાળકો ભાગ લઈ રહ્યા છે.
પ્રતિ વર્ષની જેમ આવર્ષે પણ ડુંગરા આસારામ આશ્રમમાં બાળકો માટે આધ્‍યાત્‍મિક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.10મેથી 14મે સુધીની પાંચ દિવસીય શિબિરમાં વાપી, સેલવાસ, દમણ અને આજુબાજુથી 500 ઉપરાંત બાળકોએ શિબિરમાં ભાગ લીધો છે. નિયમિત શિબિરમાં પુનમબેન અને અનુરાધાબેન દ્વારા ભારતીય ઋષિ પરંપરા રામાયણ-મહાભારતના વિવિધ પ્રસંગો દ્વારા બાળકોને આધ્‍યાત્‍મિક માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન મુકેશભાઈ અને તેમની ટીમે સુપેરે પાર પાડયુ હતું. બાળકોને સાથે સાથે મનગમતી પ્રવૃત્તિ રમતોનું પણ શિબિરમાં આયોજન કરાયેલું હોવાથી બાળકો ખુશહાલીથી શિબિરમાં રસતરબોળ બન્‍યા હતા.

Related posts

રાજ્‍ય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબ 31 અને જૂના 10 મળી છેલ્લા 4 દિવસમાં 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી સાથે રૂા.5.35 લાખની આવક

vartmanpravah

સેલવાસ હિન્‍દી પ્રાથમિક શાળાને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સંગીતના સાધનોની અપાયેલી ભેટ

vartmanpravah

દાનહ સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ છેતરપીંડીના કેસોનો કરેલો નિકાલ

vartmanpravah

સેલવાસઃ આમલી વિસ્‍તારની રિદ્વિ સિદ્ધિ પ્રા.લિ. કંપનીમાં ગત મોડી રાત્રિએ ભડકી ઉઠેલી આગ

vartmanpravah

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં 26-વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્‍વીપ કમિટી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જાગૃત કરાયા

vartmanpravah

Leave a Comment