April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

ભર ઉનાળે કરા સાથે કમોસમી વરસાદ: ચીખલી અને વાંસદા તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.13: ચીખલી તાલુકા સહિત વાંસદા તાલુકામાં સાંજે ચાર વાગ્‍યા બાદ કાળા દિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા અને તેજ ગતિના પવન સાથે તાલુકાના છેવાડાના સારવણી, ફડવેલ, રાનકુવા, રાનવેરી ખુર્ડ, રાનવેરી કલ્લા, રૂમલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના કેરી અને ડાંગરના પાકને નુકશાન થવા પામ્‍યું છે. મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવા પામતા જેને પગલે જગતનો તાત ચિંતાતુર બનવા પામ્‍યો હતો.
હવામાન વિભાગ દ્વારા ચીખલી તાલુકા સહિત નવસારી જિલ્લામાં તા.11 થી 16 મે દરમ્‍યાન વરસાદની આગાહી વચ્‍ચે સોમવારના રોજ સાંજે ચાર વાગ્‍યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો હતો. અને કાળા દિબાંગ વાદળો છવાઈ જવા સાથે વીજળીના કડાકા ભડાકા અને તેજ ગતિના પવન સાથે તાલુકાના અંતરિયાળ વિસ્‍તારના સારવણી અને ફડવેલ ગામે વરસાદની સાથે બરફના કરા પડતા લોકોમાં કુતુહલ સર્જાવા પામ્‍યું હતું. આ ઉપરાંત તાલુકાના સુરખાઈ,રાનવેરી કલ્લા, રાનવેરી ખુર્ડ, રાનકુવા, રૂમલા સહિતના વિસ્‍તારોમાં કમોસમી વરસાદ થવા સાથે તેજ ગતિના પવનના કારણે ખેડૂતોની આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીનો પાક ભોંય ભેગો થતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. ચાલું વર્ષે કેરીનો પાક માંડ 30 થી 40 ટકા જેટલો જ છે. તેવામાં કમોસમી વરસાદ અને તેજ ગતિના પવનના કારણે કેરીના પાકને નુકશાન થતા જગતના તાત ને મોટું આર્થિક નુકશાન થવા સાથે વર્ષ દરમ્‍યાન તેમણે કરેલો દવા, ખાતર, મજુરો સહિતનો ખર્ચ પણ માથે પડે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થતા ખેડૂતોનાં માથે હાથ દઈ રોવાનો વારો આવ્‍યો હતો.

Related posts

મોટાપોંઢા કેનાલમાં સતત બીજી કરૂણાંતિકા સર્જાઈ: ન્‍હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે ડૂબી ગયા

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

vartmanpravah

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

વલસાડ ડેપોમાં બસોની કાયમી અનિયમિતતાને લઈ મુસાફરોએ બસ અવર જવર રોકી ડેપો માથે લીધું

vartmanpravah

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

vartmanpravah

Leave a Comment