Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મજીગામ-સમરોલીની હદમાં કાલાખાડી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર નાંખેલા આડેધડ કચરા ઢગલાને સમરોલી ગ્રામ પંચાયતે ખસેડયો

વારંવારની સૂચના બાદ પણ સર્વિસ રોડ પર જાહેરમાં કચરો ફેંકવાનું ચાલું રાખનારાઓ સામે કાર્યવાહી કરવા માટે સ્‍થાનિક આગેવાનોએ સીસીટીવી કેમેરા ગોઠવવાની હાથ ધરેલી તજવીજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.24: નેશનલ હાઈવે સ્‍થિત સમરોલી-મજીગામની હદમાં કાલાખાડીના પુલ પાસે સર્વિસ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી આડેધડ કચરો ફેંકવામાં આવી રહ્યો છે. આ સ્‍થળ નજીક સમરોલીનો મોટો રહેણાંક વિસ્‍તાર આવેલ છે અને સમરોલી ગ્રામ પંચાયતનું ટ્રેકટર કચરો લેવા માટે નિયત કરાયેલા દિવસ-સમયે નિયમિત પણે આવતું જ હોય છે. તેમ છતાં કાલાખાડીના પુલ પાસે સર્વિસ રોડ ઉપર કચરાના ઢગ ઠલવાય રહ્યા છે. સ્‍થાનિકો ઉપરાંત અન્‍ય આસપાસના વિસ્‍તારના, બહારના લોકો પણ ખાસ કરીને રાત્રીના સમયે અંધારાનો લાભ લઈ કચરો ફેંકી જતા હોય છે.
સર્વિસ રોડ ઉપર જ્‍યાં કચરો ફેંકવામાં આવેછે. ત્‍યાં નજીકમાં ભીખાભુત બાપજીનું મંદિર પણ આવેલ છે. પરંતુ કચરો ફેંકનારાઓને મંદિરની પણ મર્યાદા નડતી નથી. વારંવારની ગ્રામ પંચાયતની સૂચના બાદ પણ કચરો ફેંકવાનું ચાલુ જ રખાતા કચરાનો ઢગ ખડકાઈ જવા સાથે અસહ્ય ગંદકી ફેલાતા માનવબળથી કચરો હટાવવાનું શકય ન જણાતા ગ્રામ પંચાયત અને આર્યા ગ્રુપના કલ્‍પેશભાઇ સહિતના આગેવાનોએ જેસીબીની મદદથી કચરો વાહનમાં ભરી સફાઇ કરાવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાનની પણ કચરો ફેંકનારાઓ પર અસર થતી નથી. ત્‍યારે આવા તત્‍વો સામે કાયદાકીય પગલા ભરવા માટે સ્‍થાનિક આગેવનો દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

Related posts

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

નશીલી દવાઓનો દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ દાનહ પોલીસ દ્વારા જાગૃતિ બેઠક યોજાઈ

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દીધો

vartmanpravah

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે : પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મદિને રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલી દ્વારા નરોલી ખાતે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન

vartmanpravah

Leave a Comment