June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સરીગામ, તા.20: ઉમરગામ તાલુકામાં માલધારી સમાજના અગ્રણીઓએ આજરોજ એકત્રિત થઈ રાજ્‍ય સરકારની ઢોર નિયંત્રણ અને ગોચરણ જમીનને ખાલી કરાવવાના મુદ્દે અપનાવેલી ઢીલી નીતિ સામે જોરદાર વિરોધ નોંધાવ્‍યો હતો. માલધારી સમાજના અગ્રણી શ્રી કરસનભાઈ ભરવાડે એમના ગુરુઓ તરફથી મળેલા આદેશને સરકાર સમક્ષ મુકતા જણાવ્‍યું હતું કે આવતીકાલે તમામ માલધારી સમાજના યુવાનો દૂધનું વિતરણ નહીં કરી સરકાર સામે વિરોધ નોંધાવશે. આ તબક્કે સરકારશ્રીને રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે રખડતા ઢોર પાસે રોડ ઉપર બેસવા કે ઊભા રહેવા સિવાય જગ્‍યા નથી જેથી ગૌચરની જમીન સરકારશ્રી ખાલી કરાવી આપે.
અત્રે નોંધનીય છે કે, રખડતા ઢોર નિયંત્રણ કાયદો અમલમાં લાવ્‍યા બાદ માલધારી સમાજમાં સરકાર સામે પ્રચંડ વિરોધ રાજ્‍યભરમાં જોવા મળી રહ્યો છે. રાજ્‍યમાં દરેક તાલુકામાં ગૌચરની જમીન ઉપર રાજકીય વગ ધરાવતા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રત્‍યક્ષ કે પરોક્ષ કબજે કરેલાઓનું ઘણીવાર પ્રકાશમાં આવ્‍યું છે. જેમાંથી ઉમરગામ તાલુકો પણ બાકાત નથી. ધોડીપાડા, સરઈ ફાટક, સોળસુંબા, દેહરી, સંજાણ સહિતના અનેક વિસ્‍તારોમાં આ પ્રકારની ગેરકાયદેસર જમીન કબજે કરેલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને સરકાર સમક્ષરજૂઆતો પણ કરવામાં આવેલી છે.

Related posts

જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા

vartmanpravah

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

vartmanpravah

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં તેમના નિવાસસ્થાને સ્માર્ટ વીજ મીટર લગાવાયું

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વેલકમ કીટ આપી પાઠવેલી શુભકામના

vartmanpravah

Leave a Comment