October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેવન્‍યુ શીરપડતર જમીન સાથણી ઝુંબેશ કાયમી ધોરણે નામે કરવા ધરમપુર વિસ્‍તારના 800 થી વધુ અરજદારોની કલેક્‍ટરમાં રજૂઆત

ધરમપુર તાલુકાના બાર જેટલા ગામોના અરજદારોએ જમીન મુદ્દે કલેક્‍ટર વલસાડમાં લેખિત રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો)
વાપી, તા.21: ધરમપુર તાલુકાના વિવિધ 12 જેટલા ગામના 800 ઉપરાંત અરજદારોએ આજે મંગળવારે વલસાડ કલેક્‍ટરશ્રીને રેવન્‍યુ વિભાગમાં શીરપડતર જમીનો સાથણી ઝુંબેશ મુજબ કાયમી ધોરણે નામે કરવા માટે રજૂઆત કરી હતી.
ધરમપુર તાલુકાના અવલખડી, તુતરખેડ, ખપટીયા, સાતવાંકલ, સામરસીગી, સાદડવેરા, ઉપલપાડા, ઉલસપીડી, ભવથાણ જંગલ, નાની કોસબાડી, મોટી કોસબાડી અને પૈખડ જેવા 12 જેટલા ગામોના 800 થી વધારે આ વિસ્‍તારના આદિવાસીઓ જમીન ઉપર વર્ષોથી હક્ક અને કબજો ભોગવટો ધરાવે છે તેમજ ખેડૂતો પાસે આ જમીન સિવાય પોતાની આજીવિકા માટે અન્‍ય કોઈ જમીન નથી તેથી કોસબાડી ગામના માજી સરપંચ ગુલાબભાઈ અવલખડીના માજી સરપંચ નર્મદભાઈ, તા.પં. સભ્‍ય કાળુભાઈ, સામાજીક આગેવાન સોમાભાઈ (સામરગીરી) સાતવાકલના આગેવાન નથુભાઈ કોસબાડી આગેવાન આનંદભાઈ પાડવી સાથે તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલની રાહબરી હેઠળ વલસાડ કલેક્‍ટર શ્રી રેવન્‍યુની શીરપડતર જમીન સાથણી ઝુંબેશ મુજબ જે તે આદિવાસીઓને કાયમી ધોરણે નામે કરી આપવાની માંગણી અને લેખિત રજૂઆત કરી હતી.

Related posts

વાપીમાં ડિઝાસ્‍ટર પ્રિવેન્‍શન એન્‍ડ મેનેજમેન્‍ટનું નવું ભવન સાકાર થશે

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સેલવાસમાં આજે યાત્રી નિવાસ ફલાયઓવર અંડરસ્‍પેસની લીધેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

પારડી તરમાલીયા કથામાં પોલીસ ત્રાટકી : ચાર આયોજકોની અટક કરી

vartmanpravah

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment